SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૯મું : ૪૩૧ દયાને દેશવટો આપ્યા વિના તે સ્થાવરના ઉપયોગમાં પણ નિરર્થક જીવહિંસાને ત્યાગ જ કરશે. તે પછી ત્રસત્વને પામેલા વિકલેન્દ્રિય પ્રત્યે કેવી રીતે નિર્વસ બનશે? તેથી તે જીવને મારવા માટે કે મરાવવા માટે દયાળુ પુરુષને હરહાલતમાં પણ ઉત્સાહ રહેતું નથી. ઈશ્વર જ જગતને સર્જનહાર છે” આ સિદ્ધાંતને સત્ય સ્વરૂપે માનનારાઓએ સમજવું જોઈએ કે -જેમ મનુષ્યનું સર્જન ઈશ્વરાધીન છે, તે શુદ્ર જતુઓનો પણ સર્જનહાર ઈશ્વર જ છે. આવી સ્થિતિમાં પોતાના પ્રમાદ કે અજ્ઞાન વશ થઈને ઈશ્વરની સૃષ્ટિને બગાડવી કેઈ કાળે પણ ઠીક નથી, તેમ પર જીના હત્યારા ઉપર ઈશ્વરને આશીર્વાદ પણ ઉતરી શકે તેમ નથી. સર્પ, વિંછી, કાનખજૂરા, મચ્છર, માખી, વાઘ, વરૂ આદિ પ્રાણીઓ માનવના નાશક છે, માટે તેમને મારી નાખવાનો સિદ્ધાંત પણ સર્વથા અજ્ઞાનમય છે, કેમકે સૃષ્ટિના નિર્માણમાં અને વિષ ભરેલા ડંખીલા જતુઓના નિર્માણમાં પણ, દીર્ધદષ્ટિસમ્પન્ન, મહાદયાળુ પરમાત્માની દયાને આપણે ન સમજીએ, અથવા માનવજાત પર તે જ—એને કેટલે બધો ઉપકાર છે, તેને વૈજ્ઞાનિક દષ્ટિએ પણ આપણે ન સમજીએ તે આપણે નિશ્ચિત કમભાગી જ રહીશું અને પરમાત્માની સુંદરતમ સુષ્ટિને બદસુરત બનાવવાના અભિશાપે આવતા ભવમાં પણ આપણે વિના મતે મરવાનું રહેશે. કેમકે સંસાર તે Play Ground ’ના ફુટબેલ જે છે, તેથી પર છની હત્યા કરનારે તે તે જીની સાથે વૈરાનુબંધથી બંધાશે અને
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy