SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મનુષ્ય હાય, રજા હોય કે મૂછ પર લીંબુ ટકાવનાર કરેડાધિપતિ હોય કે હીરામોતીના આભૂષણથી પૂનમના ચાંદ જેવી રાણી હોય કે શેઠાણી હોય સૌને ભવાંતરમાં એકેન્દ્રિયાવતારને પામ્યા વિના બીજો એકેય માગ નથી. ૮૪ લાખ છવાનીના અનંતાનંત જીવેને માટે એકેન્દ્રિય જાતિને માતાની સમાન કહેવામાં આવી છે. કેમકે જીવમાત્ર સૌથી પહેલા સૂફમનિમેદને જ માલિક હોય છે, કદાચ ઉત્ક્રાંતિ કર્યા પછી ઉપર આવે તે પણ અસંયમના કારણે અપક્રાંતિ કરીને ફરીથી એકેન્દ્રિયાવતાર જ ભાગ્યમાં રહે છે. ત્રસ નિમાં પણ પંચેન્દ્રિય મનુષ્યાવતારને પામે, રૂડા રૂપાળા શરીર મેળવે, રાજ્યસત્તા તથા દેવકને દેવ બને ત્યાંથી ચવીને ફરીથી રાજા-મહારાજા, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી બને, નાની મેટી સંસ્થાઓને સક્રેટરી, અધ્યક્ષ કે સર્વતંત્ર સ્વતંત્ર સત્તાધીશ બને તે પણ ૨૦૦૦ સાગરોપમની મર્યાદામાં યદી કેવળજ્ઞાન મેળવી શક્યો તે ફરીથી એકેન્દ્રિયાવતારને મેળવ્યા વિના જીવ વિશેષને માટે પણ છુટકે નથી. અત્તરની વાવડીઓમાં સ્નાન કરનારા દે પણ મર્યાદાથી બહાર જઈને, વિષયવાસનાના કીડા બનશે તે તેમના માટે પણ એકેન્દ્રિય ની ભાગ્યમાં રહેશે. આ કારણે જ સૌને માટે એટલે કે અસંયમી, અવિરતિ, પ્રત્યાખ્યાન વિનાના, પાંચે ઈન્દ્રિયના ગુલામને માટે અપક્રાંતિ કરવાની રહેશે અને સ્થાવર નામકર્મની નિકાચના કરીને એકેન્દ્રિયત્ન ભાગ્યમાં લખાશે. - યદ્યપિ અસંયમી જીવે બે પ્રકારના હોય છે. એક તે સમ્યગદષ્ટિસમ્પન્ન અને બીજો મિથ્યાષ્ટિસમ્પન્ન; માટે જ જૈન શાસનને નિર્ણય છે કે જ્યાં જ્યાં અસંયમ છે ત્યાં ત્યાં
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy