SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પર્વતના પાને ઝરણા, છિલ્લર એટલે નહીં ખેલા અને થોડા પાણીવાળા જમીન કે પર્વતના પ્રદેશે, પલવલ નહી ખોદેલા સરવરે (ખાબચીયા) વપ્ર એટલે ક્યારાઓ, ઈત્યાદિ બધાય સ્થળમાં બાદર પર્યાપ્તક અપ્રકાયિકે છે. લવણસમુદ્ર બે લાખ એજનને છે. ત્યારપછી ડબલ ડબલ (બે બે ગુણ) પરિમાણે યાવત્ અસંખ્યાત સમુદ્ર સ્વયંભૂરમણ છે. આ પ્રમાણે અસંખ્ય સમુદ્રો, દ્રહ, સીતા, સાદા, ગંગા, યમુના આદિ આદિ જબરજસ્ત અસંખ્યાત નદીઓ, પદ્મહદ આદિ સમુદ્રને પણ યાદ દેવડાવે તેવા હદમાં પાછુંકાયના જીવે છે. પાણીના એક જ બુંદમાં પાણીકાયના જીવે જુદા છે, તેમાં ઉત્પન્ન થનારા ત્રસ જીવે જુદા છે, અને સેવાળ આદિમાં અનંતકાયિક જીવે જુદા છે. સારાંશ કે એક બુંદમાં ત્રણ પ્રકારના જીવે છે. વૈજ્ઞાનિકોને ત્રસ જીવે જ દેખાયા છે જેની સંખ્યા ૩૬૪૫૦ની છે. પરંતુ પાણીરૂપી શરીરમાં રહેલા પાણીકાયના જીવે અને “યત્ર વારિ તત્ર વનસ્પતિ” આ સિદ્ધાંતે સેવાળમાં રહેલા જ શી રીતે દેખાવાના હતાં ? હવે એક બુંદ(આંગળી પરથી ટપકતું એક જ ટીપું)માં જ જ્યારે અનંત જીવે છે, તે ઢગલાબંધ સમુદ્રોમાં સ્થિત પાણીના અને તેત્રીસ કરોડ દેવની સાત પેઢીએ ગણતાગણતા થાકી જાય તે પણ પાર શી રીતે આવે? આ બધી વસ્તુસ્થિતિ જોયા પછી જ ખ્યાલ આવે છે કે જીવ ભલે અગણિત સંખ્યામાં મેક્ષે જાય તે પણ જીવ વિનાને સંસાર શી રીતે થઈ શકે? સારાંશ કે અનંત વિત્યા પછી પણ સંસારના જ સમાપ્ત થાય તેમ નથી. આ કારણે જ સંસારને અગાધ કહ્યો છે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy