SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૪મું : ઉદ્દેશક-૧ ૩૭૭ આ શતકમાં રહેલા પ્રશ્નો અને ઉત્તરોને ભાવ એ છે કે જન્મ લીધા પછી મરનારો જીવ મારણતિક સમુઘાત વડે મરે છે અને એકથી ચાર સમય સુધીની મર્યાદામાં બીજા સ્થળે જન્મ ધારે છે, તે – (૧) ત્યાં કઈ રીતે જો હશે? (૨) તેમની ગતિ કેવી ? (૩) અને કઈ ગતિથી કેટલા સમયમાં બીજા સ્થળે જન્મે છે. ઉપરની બધી વાતે જ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતકર્મોમાં રહેનાર છસ્થ શી રીતે જાણી શકવાને હતે? માટે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના સ્વામી મહાવીરસ્વામી પિતે જ કહી રહ્યાં છે કે-હે ગૌતમ! મેં શ્રેણિઓને સાતની સંખ્યામાં કહી છે, એટલે કે મારા વડે આકાશમાં રહેલી સાત શ્રેણિઓનું પ્રતિપાદન કરાયું છે. આ સૂત્રમાં “મેં કહ્યું છે, મારાથી કહેવાયું છે” આને સરળાર્થ એ છે કે ચર્મચક્ષને સર્વથા અદશ્ય આ શ્રેણિઓ હોવાથી તેને કેવળી સિવાય બીજે કઈ જાણી શકે નહી તે પછી તેનું પ્રતિપાદન કરવાની વાત જ ક્યાં રહી? જીનું સ્થળાંતર કેવી રીતે થશે ? એક ભવને ત્યાગ કરી મરણ પામતા જીવાત્માને આંખના પલકારે જ એક સ્થાનથી બીજા સ્થાને, એક ભવથી બીજા ભવે જવાનું સર્વથા અનિવાર્ય હોવાથી “સતત સતત જીતત સામા” આ વ્યાખ્યાનુસાર એક સ્થળે જ જીવાત્માને કદી પણ રહેવાનું હેતું નથી.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy