SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૪મું : ઉદ્દેશક-૧ ૩૭૩ છત્ર પ્રત્યેક દિશાઓમાં હોય છે અને પ્રભુ જાણે ચારે મુખે દેશના આપે છે તેવી રીતના અનુભવ શ્રેાતાને થાય છે. (૯) અશેક વૃક્ષ :-ચૈત્ય નામે અશાકવૃક્ષ, જે પ્રભુના શરીરથી ખારગણું માટુ હોય છે, જેમાં છત્ર, ઘંટા, અને પતાકાઓ પણ હોય છે. સમવસરણની રચના સમયે દેવતાઓ આ વૃક્ષની રચના કરે છે. જેના નીચે પરમાત્મા અRsિ'ત દેવા બેસે છે અને ધર્મોપદેશ આપે છે. તે સમયે દેવે તેમાં રહેલી ઘંટડીઓના જોરદાર નાદ વડે, જાણે કહી રહ્યાં હાય છે કેહે માનવ! તમે જે સ'સારમાં રચ્યાપચ્યા છે તે કોઈકને આદિમાં, કોઇકને મધ્યમાં, અને કાઈકને છેવટે પણ આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શેાક, સંતાપથી પરિપૂર્ણ છે; આ સત્ય કિકતને તમે સમજો અને પરમાત્માના ચરણાનું શરણ સ્વીકારા જેથી સ’સારના દુઃખા નાશ પામશે. જેવી રીતે આ એકેન્દ્રિયવૃક્ષ પ્રભુ શરણ સ્વીકાર કરીને અશેક અર્થાત્ શેક વિનાના મનવા પામ્યા છે. આકાશમાં સૂર્યના ઉદય થાય ત્યારે વૃક્ષે પણ વિકાસને પામતા હાય છે, તેા પછી કેવળજ્ઞાનીઓની જ્ઞાન જ્યાતિ પ્રાપ્ત થતાં માનવાના વિકાસ થાય તેમાં શું આશ્ચય ? (૧૦) અધેામુખી કાંટા ઃ-જે સ્થળે કેવળી પરમાત્માએ વિચરતા હાય છે ત્યાં રસ્તામાં રહેલા કાંટાઓ પણ નીચા મુખવાળા થઇને કોઇને પણ ઈજા કરતા નથી. (૧૧) વૃક્ષે પણ નમ્ર બને છે ઃ–જે જે સ્થળે પરમાત્મા વિચરતા હૈાય ત્યાંના વૃક્ષો પણ નમ્રતા ધારણ કરી જાણે પરમાત્માને નમ્રભાવે કહેતા હાય છે કે-હ પ્રભુ ! ગતભવામાં તમારા શાસનની વિરાધના કરવાના કારણે જ અમે ૫'ચેન્દ્રિયથી ભ્રષ્ટ થઇને એકેન્દ્રિયત્વને પામ્યા છીએ. માટે આ અવતારમાં
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy