SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૪મુ* : ઉદ્દેશક-૧ ૩૬૩ કોઈને તત્કાળ જવાવાળુ થયુ હોય તે આંખના પલકારે નાશ પામે છે. કોઈને લાંબા કાળ સુધી રહેવાવાળુ હાય તા વધારે રહે છે. કોઈને દેવ—નારક, દ્વીપ-સમુદ્ર આદિને પ્રત્યક્ષ કરનારૂ અવિધજ્ઞાન થયું પણ પરિણામેાની વિચિત્રતાને લઇને તે જ્ઞાન ઘટતુ પણ જાય છે. જ્યારે કોઇને અધિજ્ઞાન ટુંકા ક્ષેત્રની મર્યાદાવાળું થયું હાય અને વધતાં વધતાં ખૂબ જ વિસ્તૃત થઈ જાય છે. સારાંશ કે આ જ્ઞાન ક્ષાયેાપશમિક હાવાથી કોઇને પણ કેવળજ્ઞાન અપાવી શકે તેમ નથી. મન:પર્યાવજ્ઞાન દ્વારા અઢીદ્વીપના માનવાના મનપરિણામને જાણી શકાય છે. તે પણ તે જ્ઞાન ક્ષાયેાપશમિક હાવાથી ભાડુતી છે, માટે વિજળીના ચમકારાની જેમ આવતા પણ વાર લાગતી નથી અને જતા પણ વાર નથી. આ કારણે જ આ બંને જ્ઞાનાના માલિકને છદ્મસ્થ કહેવાયા છે. આ પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાન વિનાના છદ્મસ્થ છે, જ્યારે છદ્મસ્થ હોવા છતાં તીથંકરને અવધિજ્ઞાન ડાય છે અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાનની વિદ્યમાનતા પણ હોય છે. દેવાને તથા નારકોને પણ અવધિજ્ઞાન છે, તથા છદ્મસ્થ પણ છે, ત્યારે અહીં અવધિજ્ઞાનથી પરમાધિજ્ઞાન લેવાનુ` છે, કેમકે પરમાધિ વિનાના અવધિજ્ઞાનના વિશ્વાસ રાખી શકાય તેમ નથી, જ્યારે પરમાવધિજ્ઞાન, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા વિના જતું નથી.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy