SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બાસુંદી, પંડા, ગુલાબ જંબુ, રસગુલ્લા આદિ પદાર્થો ઉપરાંત બરફના ઠંડા પીણા, બરફ, આઈસ્ક્રીમ, વધારે પડતી ચાકોણી આદિ પદાર્થોને ત્યાગ કર શરીરની સુખાકારી માટે શ્રેયસ્કર છે. વારંવાર અજીર્ણ, ખેરાકને અપચે, ઝાડા, વમન, ઓડકાર, બગાસા ઉપરાંત જ્યારે ત્યારે આંખમાં નિદ્રાદેવીને વાસ દેખાય તે સમજી લેજો કે તમારા શરીરમાં વાયુ-પિત્ત અને કફની વૃદ્ધિ થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં અજીર્ણને ટાળવાના પ્રયને સૌથી પહેલા કરવાના રહેશે. બે જેટલી ખાવાવાળાને પણ અજીર્ણની શક્યતા નકારી શકાય તેમ નથી. અથવા જમવા ટાણે એક જ રેટી ખાનારા ઘણા શ્રીમંતેને બીજી સાઈડમાં ૨૫-૩૦ બદામ, ૩-૪ કેળા, મુઠ્ઠી ભરીને શીંગદાણા કે ચણા જેરગરમ, ઉપરાંત પાંઉભાજી અને શેર બજાર, સેના-ચાંદી કે હીરા બજારના નાકે ઉભા ઉભા દહીંવડા, બટેટાવડા, કચેરી, પાણીપુરીથી પેટ ભરીને સેફા ઉપર બિરાજમાન થનારાઓને અજીર્ણ શી રીતે મટશે? અને ન મટે તે જુલાબ, વમન, છીંક અને બગાસામાં તેમને કેણ મુક્ત કરશે? કેમકે “મની કમવારોના ” રેગમાત્ર અજીર્ણમાંથી ઉત્પન્ન થાય છે. ઉપરના બધાય પ્રસંગેની જાણકારી મેળવ્યા પછી આહારસંજ્ઞાને ધીમે ધીમે ઓછી કરવી, તેની લાલસા છેડી દેવી અને જેનાથી સ્વાથ્ય બગડે તેવા ખેરાકને મર્યાદામાં કરી લેવા, જેથી શરીર સ્વસ્થતા વધશે, મનજીભાઈ તાકાતવાળા થશે અને આત્મા નિર્મળ બનશે. માટે...
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy