SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૩મું : ઉદ્દેશક–૧૨ ૩૫૭ ચક્ર કેઈ કાળે મટશે નહીં. માટે જ્ઞાનની સમજણપૂર્વક તે ત્રણે ધાતુઓ સરખા ભાવે રહે તેવા અને તેટલા પદાર્થોને પણ ઉપગ મર્યાદામાં કર અને પ્રકૃતિને પ્રતિકૂળ પદાર્થો ગમે તેવા સારા હોય તે પણ અવશ્ય છેડી દેવા કે છોડવા માટે પ્રયત્ન કરે. જેમકે - શરીરમાં વાયુપ્રકૃતિ હોય કે ખાનપાનની મર્યાદાતીતતાને લઈ વાયુને ભડકાવી દીધું હોય તેવા સમયે જે વનસ્પતિ તીખી, કડવી, તુરી હોય તે છોડી દેવી જોઈએ. વધારે પડતી ચિંતા, ઉજાગરે, કોઇ, બકવાસ, વધારે પરિશ્રમ, મર્યાદાતીત સ્ત્રીસંગ ઉપરાંત ચણા, મઠ, વટાણું અને ઠંડે આહાર પણ છેડી દેવું જોઈએ. - જેમની પિત્તપ્રકૃતિ હોય અથવા પિત્તપ્રકેપ વધારે હોય તેઓએ વધારે પડતા ગરમ પદાર્થો, લાલ મરચા, વધારે પડતું ગેળ કે તેની વાનગીઓ, અડદ, કલથી, રીંગણ, લસણ તથા બાજરો છેડી દેવું જોઈએ. તે ઉપરાંત રેમેરમ ઉભા થાય તે કોધ, તમાકુ (છીંકણી, બીડી, સીગારેટ), તડકામાં કે અગ્નિ પાસે બેસવું, અનહદ પ્રાકૃતિક કે અપ્રાકૃતિક વીર્યને કે રજને ક્ષય કર, ગરમ પાણીથી સ્નાન કે માથા પર ગરમ પાણી નાખવું ઇત્યાદિ પ્રસંગને ત્યાગ કરે તથા વાલ, અડદ, ખીચડી, મૂળા, કાકડી, ચીભડા, સરસુ તેલ, નમક અને હિંગ આદિ પદાર્થોને ઉપયોગ અલ્પ માત્રામાં કરે, જેથી પિત્તની ઉત્પત્તિ વધારે થશે નહીં. કફનો ભરાવે જેમને વારંવાર થતો હોય તેઓએ અડદ, તલ, શેરડી, શેરડીને રસ, ગોળ, અલસી, મિષ્ટાન, માંસ, માછલી, લાંબા સમયના રાખેલા ભાત, ખાટા રસના પદાર્થો, તળેલા પદાર્થો, ઘી-તેલના ભરેલા શીર-લાપસી, મેસુબ આદિ,
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy