SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૩મુ : ઉદ્દેશક-૧૨ ૩૪૩ જે જીવાત્મા પૃથ્વીના શરીરને ધારણ કરીને પોતાના ઉપાર્જિત કરેલા ‘ પૃથ્વીજાતિ નામકમ ’ને ભોગવી રહ્યા હાય ત્યારે તે ભાવનિશ્ચેષાએ ભાવપૃથ્વીકાય તરીકે સંબેધાશે ( ૨ ) પ્રરૂપણાદ્વાર :-પદાર્થ માત્રના નિર્ણયમાં તેની પ્રરૂપણા તથા તેના પ્રકારે ( ભેદ ) પણ કહેવાના રહે છે, તા જ શિષ્યને પદાર્થ'ની જાણકારી સુગમ રહે છે. જેમકે નૂતન શિષ્ય ગુરુને પૂછે છે કે હું ગુરુદેવ ! પૃથ્વીરૂપ શરીરને આશ્રય કરી, શુ' પૃથ્વીકાયના જીવેા છે ? શિષ્યને જેમ પ્રશ્ન પૂછવાને અધિકાર છે, તેમ ગુરુ મહારાજને જવાખ આપવાના પણ પૂર્ણ અધિકાર હેાવાથી, જવાબમાં ગુરુ મહારાજ ફરમાવે છે કે “સંતિ વાળા વુઢો સિયા ” એટલે કે પૃથ્વીના આશ્રય કરી 'ગૂલના અસંખ્યાત્તમા ભાગની અવગાહનાવાળા પૃથ્વીકાયના જીવ છે અને તે બધાય જીવા પૃથક્ પૃથક્ છે, સચેતન છે તથા અનેક જીવેાના આધારભૂત છે. ફરીથી શિષ્ય પૂછે છે, પૃથ્વી છે' તે તેના ભેદ કેટલા છે? જવાખમાં કહેવાયું કેदुविहाय पुढबि जीवा, सुहुमा तह बायरा लोगमि । सुहुमा य सब्वलोए, दो चेव य बायर विहाणा ।। ( ११ ) 6 અર્થાત્ પૃથ્વીજાતિ નામક ના કારણે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલા જીવા સૂક્ષ્મ અને બાદર ભેદે એ પ્રકારના છે. અહીં સૂક્ષ્મ નામકમના ઉદયથી પ્રાપ્ત થયેલું સૂક્ષ્મદ્લ અને માદર નામકર્મના ઉદયથી ખદત્ત્વ જાણવુ'. જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવે છે તે કાજલની ડખીમાં ભરેલા કાજલની જેમ ચૌદ રાજલેાક પ્રમાણ સંસારમાં એટલે સસારના એકેય પ્રદેશને છાડ્યા વિના પૂર્ણ રૂપે વ્યાપીને રહ્યાં છે. જ્યારે ખાદર જવાના મૂળ એ ભેદ છે ( ૧ ) શ્લક્ષ્ાપૃથ્વી, ( ૨ ) ખરપૃથ્વી. .
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy