SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૧મુ' : ઉદ્દેશક-૧ ૩૧૫ જીવ હત્યા ચાહે પેટ ભરવા માટે હાય કે મશ્કરી માટે હાય, હત્યા એ હત્યા જ રહે છે. જ્યારે ૮૪ લાખ જીવાયેાનિમાં શ્રેષ્ઠતમ મનુષ્યાવતાર ઢાવાથી તેમની શુભ કે અશુભ બધીય ક્રિયાએ બુદ્ધિપૂર્વક જ હાય છે. જેના દુબુદ્ધિ અને સત્બુદ્ધિરૂપે બે પ્રકાર છે. માનવના જીવનમાં મિથ્યાત્વના અને માહુના જબરદસ્ત હુમલે જ્યારે થાય છે ત્યારે તે કુબુદ્ધિના માલિક બનીને હિંસા, જોર્ડ, ચેરી, મૈથુન અને પરિગ્રહના પાપેા પ્રત્યે પૂણ આસક્ત મની અવસર આવ્યે તે તે પાપાને નિષ્વસ એટલે કર પરિણામપૂર્વક આચરે છે. બેશક વ્યવહાર પૂરતા જ તેએ ધર્માંના સ્વાંગ, ધાર્મિકતાના ડોળ અને ભાષાના પ્રયાગ સુંદર કરતા હાય છે; પરંતુ આન્તરિક જીવનમાં તે સ્વાર્થા ધ, લેાભાંધ, કામાંધ અને મદાંધ હાવાથી પેાતાના સ્વાર્થ સિવાય બીજા એકેય સત્કાર્ટીંમાં કે દીન, દુઃખી, અનાથ, ખિમાર અને દરિદ્રોની સેવા, કે તેમના બાળબચ્ચાઓને વ્યાવહારિક શિક્ષણ દેવાના કાર્યાંમાં તેને રસ હાતા નથી. પેાતાના અનેા કે કામના સ્વાર્થ સધાતા હોય ત્યાં દાન, શિયળ, તપ કે ભાવને ઉપયેગ કરવામાં પાવરધા હાય છે અને તેની સાધના થયા પછી પાછા જેવા હતા તેવા ને તેવા કઠોર કટુભાષી બની જાય છે; કેમકે તેમના આત્મા ઉપર કુબુદ્ધિના પડછાયા જોરદાર પડેલા છે. ફળસ્વરૂપે તેમની ભાષા, વ્યવહાર, વ્યાપાર, તાલ, માપ આદિમાં હિંસકવૃત્તિ હાવાથી નરકગતિને ચગ્ય કર્માંનું બંધન તેમને હાય છે. માટે જ તીર્થંકર પરમાત્માએ કહ્યું કે તિય ચા અને મનુષ્યે નરકમાં જવાની ચેાગ્યતાવાળા હોય છે. સુલભ ક્ષુદ્રકૃત યુગ્મ નારકો ચાર, આઠે, ખાર, અથવા સંખ્યાત, અસ ખ્યાતની સંખ્યામાં નરકમાં ઉત્પન્ન થાય છે. કૂદનાર
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy