SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જવાબમાં ભગવતે ફરમાવ્યુ` કે હે ગૌતમ ! જે નવ તત્ત્વાના સાતા છે તે ક્રિયાવાદીઓના ૧૮૦ પાખ’ડીએમાંથી ગમે તે ટોળાના હશે તે પણ દેવગતિ અને મનુષ્યગતિનુ આયુષ્ય બાંધશે. પરમાત્મા દેવાધિદેવની સ્પષ્ટ વાણીથી આપણે જાણી શકીએ છીએ કે કેવળ શ્રદ્ધાની જ કેટલી બધી જખરદસ્ત તાકાત છે, જે કારણે તે જીવ નરકગતિમાં કે તિયચ ગતિમાં જઈ શકતા નથી. ટોચ ( બેટરી)માં જે શેલ હાય છે તે ગમે તેટલા સુંદર હેાય યદિ તેમાં પાવર ખતમ થઇ ગયા હશે તે તેને ફેંકવા સિવાય બીજો કયો માગ? અને પાવર હશે તેા શેલ પરના કાગળ પણ ફાટી ગયા હશે તે તે સંગ્રહવા લાયક બનશે, એ જ પ્રમાણે શ્રદ્ધાની તાકાતને (Power) કહેવામાં આવ્યા છે, જેની વિદ્યમાનતામાં માનવના દુતિના દ્વાર બંધ થાય છે. આવી પરિસ્થિતિમાં સમ્યગજ્ઞાન અને ચારિત્રનુ મિશ્રણ કરી લેવામાં આવે તે મુક્તિના દ્વારે પહોંચતા કેટલી વાર ? ૨૮૪ અજ્ઞાનવાદી, અક્રિયાવાદી અને વિનયવાઢીને માટે ચારે ગતિએના દ્વાર ખુલ્લા છે, એટલે કે તેઓ દુગતિમાં પણ જવાની સામગ્રી ઉપાજી શકે છે, કેમકે અક્રિયાવાદિ આત્માદી તત્ત્વોને જાણી શકતા નથી અને જે પેાતાના આત્માને જ જાણી શકતા નથી તે પાપેાને તથા પાપના દ્વારાને શી રીતે જાણશે ? ખાડાને ન જાણનારા આંધળા જેમ કૂવામાં પડી શકે છે તેવી રીતે નવ તત્ત્વના અજ્ઞાન આત્મા પોતાની અજ્ઞાન દશામાં જે પાપાચરણા કરે છે તે એટલા બધા ભયંકર હાય છે જેનાથી એક પાપમાંથી બીજી અને ખીજામાંથી ત્રીજું પાપ તેને વળગ્યા વિના રહેતું નથી. અજ્ઞાનવાદીને આત્મા જ તેમના શત્રુ હાવાના કારણે
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy