SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પક્ષાંધ બનીને ગૃહસ્થ પણે જુદા જુદા ટોળામાં ફસાઈ ગયા અને ૩૬ ૪૫ = ૧૮૦ ભેદ જોતજોતામાં પ્રવર્તિત થઈ ગયા. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી પણ આ ૧૮૦ પાખંડીઓ ધર્મના નામે, સમ્યક્ત્વના નામે, જીવાદિ તત્ત્વોના સ્વરૂપને માટે લડતાં હતાં, ઝઘડતા હતાં અને ભારત દેશને “ત્રાહિ માં–ત્રાહિ માં” જેવી અવસ્થામાં લાવી મૂક્યો હતે. સ્વતઃ પરતઃ નિત્ય, અનિત્ય, કાળ, ક્ષણિક, નિયતિ ઈશ્વર, આત્મા આદિ શબ્દના અર્થ જોઈ લઈએ. નવે તોની વિશદ વ્યાખ્યાઓ પહેલાના ભાગમાં ચર્ચાઈ ગઈ છે, તેમ છતાં પણ તે નવ તત્વને તત્વાર્થ સૂત્ર, આéદર્શન-દીપિકા આદિ ગ્રંથેથી જાણું લેવું. સ્વતઃ એટલે આત્મા પિતાના સ્વરૂપને લઈને વિદ્યમાન છે. પરંતુ હસ્વત્વને જેમ દીર્ઘવની અને દીર્ઘત્વને હસ્વત્વની અપેક્ષા રહેલી છે તેવી એકેય અપેક્ષા આત્માને માટે ઘટતી નથી, કેમકે આત્મા સ્વતઃ સિદ્ધ છે. પુણ્ય પાપને ફળો ભેગવવાને માટે સર્વતંત્ર સ્વતંત્ર છે. જન્મ મરણમાં પણ કેઈની અપેક્ષા આત્માને માન્ય નથી. નિત્ય એટલે આત્મા પોતે કોઈનાથી પણ ઉત્પન્ન થત નથી, નાશ પામતું નથી. રૂપાંતર અર્થાત્ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય કે પુદ્ગલાસ્તિકાય આદિમાં ચારે નિકાયના દેવે યદિ પરિશ્રમ કરીને પિતાના સાગરેપમના સાગરેપમ આયુષ્યને સમાપ્ત કરી લે તે પણ પરિવર્તિત કરી શકે તેમ નથી, માટે આત્મા ભૂતકાળમાં પણ હતું,
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy