SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સતક રમું : ઉદ્દેશક-૧ ૨૪૧ પરિમિત ન બનતાં જેઓ હજી અર્ધ પગલપરાવર્ત (ચરમાવર્ત)માં પ્રવેશી શક્યા નથી તે જીવે કૃષ્ણ પાક્ષિક કહેવાય છે અને સમ્યકત્વના પ્રકાશમાં આવનારા ઇવેને સંસાર કેવળ અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલે જ શેષ રહેવાથી તેમના ઘણ પાપ, પાપ પ્રકારે, તેની વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ મર્યાદામાં આવી જવાથી ભાવલબ્ધિ અને કાળલબ્ધિને સમય પરિપાક થયે તે ભાગ્યશાળીને ઉપશમ કે ક્ષપક શ્રેણીની સહાયતા મળે મુક્તિનગરમાં જવા માટેની લાયકાત પ્રાપ્ત થાય છે. તે શુકલ પાક્ષિક કહેવાય છે. કૃષ્ણ પાક્ષિક જેને પ્રથમના બે ભાંગ અને શુકલ પાક્ષિકને ચારે ભાંમા જાણવા. (૪) દષ્ટિદ્વાર -મિથ્યા અને મિઝદષ્ટિને પ્રથમના બે ભાંગા જાણવા અને સમ્યગદષ્ટિને ચારે ભાંગા જાણવા. કેમકે મિથ્યાત્વને અંધકાર એટલે બધે ઘેરતિઘેર હોય છે જેમાં અટવાયેલા છે મેહકર્મને ઉદય, ઉપશમ કે ક્ષય કરવા જેટલા સમર્થ બની શક્તા નથી, માટે તેમને પાછળના બે ભાંગ નથી. (૫) જ્ઞાન-અજ્ઞાનદ્વાર પહેલાના ક્ષાપશમિક જ્ઞાનીને ચારે ભાંગા જાણવા. અજ્ઞાનીને પહેલાના બે ભાંગા અને કેવળજ્ઞાનીને છેલ્લે એક જ ભાગે કહ્યો છે. અજ્ઞાનીનું અજ્ઞાન જ મેહને ઉપશમ કે ક્ષય થવા દેતું નથી, માટે તેમને પહેલાના બે ભાગ છે. (૬) સંજ્ઞાદ્વાર :-અહીં આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞાને સંગ્રહ હેવાથી જે જીવાત્માઓ આ ચારે સંજ્ઞામાં અત્યંત આસક્ત હોય તેમના ભાગ્યમાં મેહને ઉપશમ કે ક્ષય ન હોવાથી આદિના બે ભાંગા જાણવા.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy