SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ શતક ૨૬મું ઉદ્દેશક-૧ (૨) કેટલાક જીવેએ શું ભૂતકાળમાં પાપ બાંધ્યું છે? વર્તમાનકાળમાં બાંધી રહ્યાં છે? તે શું તે છે ભવિષ્ય કાળમાં પણ પાપ બાંધશે? (૩) ભૂતકાળમાં પાપ બાંધ્યું હોય પણ વર્તમાનકાળમાં બાંધતા નથી તે શું ભવિષ્યકાળમાં તેઓ પાપકર્મ બાંધશે? (૪) કેટલાક એ ભૂતકાળમાં પાપ બાંધ્યું છે પણ વર્તમાનકાળમાં બાંધતા નથી, તેવી રીતે શું ભવિષ્યકાળમાં પણ નહીં બાંધે? ઉપર પ્રમાણેના પ્રશ્નોથી જાણવાનું સરળ રહે છે કે આ જીવાત્માએ અનંતીવાર શરીર ધારણ કર્યું છે અને અનંતીવાર તે શરીરને મૂક્યું છે. આ રીતે અનંતીવારની આ ક્રિયામાં આત્મા એક જ છે ત્યારે જ તે સૌને પણ આવી શંકા થઈ શકે છે. ભૂતકાળમાં જે આત્માએ પાપકર્મો બાંધ્યા હોય તે વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પાપકર્મોને બાંધે પણ છે અને બાંધતે નથી. આ ફેરફાર અને તફાવત શા માટે? બધાય છે જ્યારે એક સમાન છે, તે પછી પાપકર્મોને બાંધવાની પ્રક્રિ. યામાં તેમના ભેદે શા માટે પડે છે? અને આ ભેદ પાડનારે કે? જવાબમાં અનંતજ્ઞાની ભગવાન મહાવીરસ્વામીએ ફરમાગ્યું કે, ગૌતમ! સંસારના કેઈપણ પ્રસંગ કે ઉપસ્થિત થતા પ્રશ્નને કેવળ સંગ્રહનયથી જ નિર્ણય કરવા જોઈએ તે માનવ પિતાના જ્ઞાનને વિકાસ કદિ પણ સાધી શકતું નથી અને તે વિના સંસારને જવાની કે જોયેલા સંસારને યથાર્થ નિર્ણય કરવાની રાગદ્વેષ વિનાની કે કલેશ કંકાસ વિનાની કળા તેને હસ્તગત થવાની નથી, માટે સંગ્રહનયની વાત
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy