________________
શતક ૨૬ : ઉદ્દેશા
પ્રારભ્યતે
આ શતકના પ્રારંભમાં ચતુર્દશ પુની લબ્ધિના ધારક, ચાર જ્ઞાનથી દેીપ્યમાન, દ્વાદશાંગીના રચયિતા તથા દેવાધિદેવ, ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સ્થાપન કરેલા ચતુર્વિધ સંઘના અધિપટ્ટપ્રભાવક, ગણધર શ્રી સુધર્માંસ્વામી પેાતે જ આ શતકના પ્રારંભમાં શ્રી શ્રત દેવતાને નમસ્કાર કરે છે, કેમકે ભાવશ્રુત વંદનીય છે. તેમ તેને પ્રાપ્ત કરાવનાર દ્રજીત પણ અવશ્યમેવ વન્દેનીય-નમસ્કરણીય અને આદરણીય છે. તેથી દ્રષ્યશ્રુત અને તેની અધિષ્ઠાત્રી દેવી પણ સત્કરણીય છે, તેથી સારા કાર્યોંમાં વિજ્ઞો આવતા નથી.
આ શતકમાં અગ્યાર ઉદ્દેશા છે અને સામાન્ય તથા નારક આઢિ ચેાવીશ દંડકને આશ્રય કરી નીચે જણાવેલા અગ્યાર દ્વારા વડે વિચારણા કરવામાં આવી છે, તે દ્વારા આ પ્રમાણે છે.
( ૧ ) જીવા, (૨ ) લેશ્યાએ, (૩) શુક્લ અને કૃષ્ણ પાક્ષિકા, (૪) દૃષ્ટિ, (૫) અજ્ઞાન, ( ૬ ) જ્ઞાન, ( ૭ ) સંજ્ઞા ( ૮ ) વેદ, ( ૯ ) કષાય, (૧૦) ચેગ, (૧૧) ઉપયાગ,
સ'સારવી અનંતાનંત જીવાના ચાર પ્રકાર હાવાથી ગૌતમસ્વામીજી તત્સંબધી જ પ્રશ્ન પૂછે છે કે, હે પ્રભો !
(૧) જીવાએ ભૂતકાળમાં પાપકમ અને જ્ઞાનાવરણીયાદિ કમેમાં શું ખાંધ્યા છે? વતમાનકાળમાં બાંધી રહ્યા છે? અને ભવિષ્યકાળમાં પણ ખાંધશે ?