SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૫: ઉદ્દેશા ૯-૧૦-૧૧-૧૨ આ ચારે ઉદ્દેશામાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવે જ્યારે નરક ગતિમાં જાય છે ત્યારે ઉપર પ્રમાણે બતાવેલા ક્રમાનુસારે જ નરકમાં જાય છે. (૧) ભવસિદ્ધિક –મોક્ષમાં જવાની યોગ્યતાવાળા હેવા છતાં અથવા ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્રીજા ભવે મોક્ષ મેળવવાની લાયકાતવાળા છતાં પણ નિકાચિત કરેલા નરક ગતિના કર્મોને કારણે તેમને પણ નરકમાં ગયા વિના બીજો માર્ગ નથી. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને આત્મા પિતાના સતાવીશ ભના અન્તવતી અઢારમા ભવે ત્રણ ખંડના રાજા વાસુદેવના અવતારમાંથી સાતમી નરકે ગયા છે. બ્રહ્મ દત્ત અને સુલુમ ચક્રવર્તીઓ પણ નરકે ગયા છે. રાવણ જેવા પ્રતિવાસુદેવે પણ નરકે ગયા છે. અને રાવણરાજાના હાડકા ભાંગી નાખનારા લક્ષ્મણ જેવા વાસુદેવે પણ નરકે ગયા છે. મતલબ કે રાજ્ય ખટપટ, તીવ્ર વિષય વાસનાઓ, પરિગ્રહની અતીવ મૂચ્છ આદિના કારણે નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયા પછી નરકમાં જવાનું જ રહે છે. કેમકે કમસત્તા બળવાન છે. આઠે કર્મોમાંથી સાત કર્મો પ્રતિ સમયે બંધાય છે અને આયુષ્ય કર્મ જીંદગીમાં એક જ વાર બંધાય છે. જે ભગવ્યા વિના છુટકે નથી. ભવસિદ્ધિ મેક્ષમાં જ જવાવાળા હેય છે. પણ મેક્ષમાં જવાના અનુષ્ઠાને વિના મેક્ષગતિ પ્રાપ્ત નથી થતી અતિનિકાચિત નિયાણામાં ફસાયેલા જીવેને સમ્ય. કુત્વને લાભ પણ પ્રાયઃ કરી મળતું નથી, તે ચારિત્રના અણુ શુદ્ધ અનુષ્ઠાને તેના ભાગ્યમાં ક્યાંથી હોય !
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy