SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૫મું : ઉદ્દેશક-૭ ૧૫ જોઈએ છીએ ત્યારે ભલભલાઓને પણ અરેરાટી થયા વિના રહેતી નથી તે પછી દયાદેવીના પૂજારીઓને જીવહિંસા પ્રત્યે નફરત ન આવે તે બને શી રીતે? માનવના જીવનમાં જ્યારે દોષ આવે છે અને વધે છે ત્યારે તે એટલે બધે હઠાગ્રહી બની જાય છે, જેના પરિણામે દેશનું રક્ષણ કરનારી, તથા જેના શરીરમાં ૩૩ કરોડ દેવેની સ્થાપના છે, તેવી માન્યતાને માનનારી સંસ્કૃતિએ ગાયના માંસનું વજન પણ કર્યું નથી. બ્રાહ્મણ સૂત્રે અને ખાસ કરી ભવભૂતિના ઉત્તર રામચરિત્રમાં ચે કે પાંચમો અધ્યાય જેવાથી ખબર પડશે કે દશરથ રાજાના કુળગુરુ વસિષ્ઠ જેવા મહા સંતે પણ ગાયના વાછરડાને “મૂળા ની જેમ આરે છે. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાના ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ જેવા અકાટ્ય વિદ્વાનોને ભગવાન મહાવીરસ્વામીએ વેદમંત્રને આશ્રય લઈને જ તેમને શંકા વિનાના કર્યા છે. પરિણામે હિંસાના તાંડવનૃત્યથી ધ્રુજી ગયેલા હજારે, લાખે માનોએ જીવહત્યા, માંસાહાર, શરાબપાન, વેશ્યાગમન તથા પરસ્ત્રીગમનને સર્વથા ત્યાગ કરીને અહિંસાધર્મના પૂર્ણ આરાધક બન્યા છે અને બીજા ભાગ્યશાળીએ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ માંસાહાર આદિને ત્યાગ કરી “શ્રેયસૂ” ધર્મના આરાધક બન્યા છે. રૌદ્રધ્યાન કેવી રીતે ઓળખાય? આ ધ્યાનને નિર્ણય કરવા માટે તેને પણ ચાર લક્ષણે બતાવવામાં આવ્યાં છે. - (૧) એસન્ન દેષ -રૌદ્રધ્યાન થવાના ચાર કારણો
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy