SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ન જોઈએ કે તે સુંદરકાર મયૂર (ર) જ્યારે કઈ મહાસર્પને પોતાની ચાંચમાં પકડીને તેને ચીરતે હોય છે, ચૂંથતું હોય અને ખાતે હોય છે ત્યારે આ દશ્ય જોયા પછી તમને લાગશે સંસારમાં મેર જે કઠણ હૃદયવાળ બીજે કેણુ? તેવી રીતે મૃષાનુબંધી માનવે પણ જાણવા, જે બહારના સુંદર અને હૈયાના કેરા ધાકેર. | (૩) તેયાનુંબંધી –સ્તેય એટલે ચેરી. આ કર્મને કરનારે સ્તયાનુબંધી કહેવાય છે. નરકમાં જવાવાળા જીવનું આ ત્રીજું લક્ષણ છે. પૂર્વભવની ઉપાર્જિત કરેલી ચૌર્યકર્મની આદત મટવી કે મટાડવી તે બચ્ચાઓના ખેલ નથી. તેમના અધ્યવસાયે, હાથની ચાલાકી, બલવાની કળા એટલે વાચાતુરી, અને તેલવા-માપવાની કળા ધ્યાનથી જોવા જેવી હેય છે, તેઓ ધર્મના સૂફમ સિદ્ધાંતને, અહિંસાદિ તેને તથા અતિચારને, સિદ્ધશિલાના માપને, મહાવિદેહ ક્ષેત્રની સીતા તથા સીતાદા નદીના ઊંડાણને, ઉત્સધાંગુલ અને પ્રમાણગુલના અંતરને છેવટે સ્યાદ્વાદનય અને નિક્ષેપાના ભેદાનભેદને સરળતાથી સમજી શકે છે, બીજાઓને સમજાવી શકે છે. સાથે કર્મોની પ્રકૃતિઓને, તેમની સત્તા–ઉદય-ઉદીને આંગળીના ટેરવે ગણું શકાવે છે, પરંતુ પિતાના જીવનમાંથી ચૌર્યકર્મની આદતને હરહાલતમાં સુધારી શકતા નથી. તેમાં પણ ક્રૂરતાપૂર્વકની ચેરી મહાભયંકર હોવાથી રૌદ્રધ્યાનને ઉત્પન્ન કરાવનારી છે. (૪) સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાન મળેલા કે મેળવેલા અર્થ અને કામના સાધનેને સુરક્ષિત રાખવામાં, તેમની વૃદ્ધિ કરવામાં, કામદેવ ભડકે બળે તેવા જુદા જુદા ઔષધ, ખાનપાન રસાયણ ગોતવામાં, તેમજ પરિગ્રહની માયાને ચારે બાજુથી વધારવામાં રાતદિવસ જેઓ રચાં પડ્યાં છે, તે સંરક્ષણાનુંબંધી
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy