SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૫મું : ઉદ્દેશક-૭ ૧૫૯ જીવન પર્યત આહાર છોડાય તે યાવત્રુથિક અનશન છે. તેના (૧) પાદપગમ (૨) ભક્ત પ્રત્યાખ્યાન બે ભેદ છે. પાદપેગમના પણ (૧) નિહરિમ (૨) અનિહરિમ નામે બે ભેદ છે. (૧) નિરિમ પાદપોગમ અનશન એટલે ઉપાશ્રયની અંદર રહીને જે અનશન(ઉપવાસ) કરવામાં આવે અને મર્યા પછી શરીરને અગ્નિ સંસ્કાર થાય તે નિરિમ કહેવાય છે. જ્યારે વનવગડામાં કે ગુફામાં અનશન કરવામાં આવે તથા જેને અગ્નિ સંસ્કાર ન થાય તે અનિરિમ છે. આ બન્ને ભેદ સેવા આદિ પ્રતિક્રિયા વિનાના છે. એટલે કે સમ્યગુજ્ઞાન અને દર્શનથી પૂર્ણ થઈને ઝાડની માફક જ ઊભા ઊભા જીવનપર્યત રહેવું તે પાદપગમન કહેવાય છે. ભક્ત પ્રત્યાખ્યાનના પણ ઉપર પ્રમાણે જ બે ભેદ જાણવા. વિશેષમાં આ તપ સેવા પ્રતિક્રિયામય છે. (૨) ઉણોદરી (અવમેદરિકા):-જે દ્રવ્ય ઉણોદરી અને ભાવ ઉદરી રૂપે બે ભેદે છે. દ્રવ્ય ઉદરીને ઉપકરણદ્રવ્યઉણદરી અને ભક્ત પાનઉણેદરી નામના બે ભેદ છે. પહેલામાં કેવળ એક જ વસ્ત્ર, એક જ પાત્ર અને બીજાઓ દ્વારા ત્યક્ત વા પાત્ર સારાંશ કે ધર્મોપકરણને પણ ઓછા પ્રમાણમાં અને ઉપયોગમાં આવે તેટલા જ રાખવા. જ્યારે ભક્ત પાન ઉણોદરી તપમાં આઠ કોળિયા સુધી જ આહાર લે તે અલ્પાહાર ઉદરી, બાર કેળિયા સુધી મધ્યમ ઉણદરી. સારાંશ કે જ્ઞાનપૂર્વક પેટને ખાલી રાખવું તે દ્રવ્ય ઉદરી છે, ભાવ ઉદરીમાં કષાયે ઓછા કરવા, થાય તે વધારે ટકવા ન દેવા, બેલાની ભાષા મિત-હિત અને પથ્ય વિશેષણવાળી
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy