SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે હોં અહં નમઃ લેખકીય પુરવચન સાદડી રાજસ્થાનના મૂળનાયક દેવાધિદેવ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની તથા સ્વર્ગસ્થ દાદાગુરૂ ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) અને શાસનદીપક મારા ગુરૂવર્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સાહેબની અસીમ કૃપાથી જ શ્રુતજ્ઞાનના સાગરસમા શ્રી ભગવતી સૂત્ર ઉપર પ્રારંભેલું વિવેચન કાર્ય આજે ચેથા ભાગમાં નિવિંદને પૂર્ણ થયું છે. બીજા ભાગની પ્રસ્તાવનાના લેખક, પૂજ્ય જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજય કીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શબ્દોમાં કહીએ તે “દ્રવ્યાનુયેગના જટિલ, કઠિણ અને કપરા વિષયનું વિષદ વર્ણન કરવું તથા પ્રત્યેક વિષય પર પ્રકાશ પાડ એ ત્યારે જ બને કે-લેખકને ઉંડે અનુભવ હોય, બુદ્ધિ કુશાગ્ર હોય, શાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન હોય, સતત-અવિરત પરિશ્રમ હેય, હૈયામાં હિતબુદ્ધિ હાય, માતા શારદાની કૃપા (મીઠી નજર) હોય અને ગુરૂકૃપા (આશીર્વાદ) હોય ત્યારે જ લેખક સફળ બને છે.” આ પ્રમાણેના આશીર્વાદપૂર્વક ઉચ્ચારેલા શબ્દો મારા માટે આજે સત્યસ્વરૂપે સિદ્ધ થયા છે. વિ. સં. ૧૯૯૭ના મંજલરેલડીઆ કચ્છના ચાતુર્માસમાં પૂજ્ય ગુરૂદેવે ભગવતી સૂત્રના છ શતક સુધીનું નેટ બુકના ૧૨૫ પાના જેટલું જ મૂળ સૂત્રાનુસારે વિવરણ લખ્યું હતું. તે કેપી મારી પાસે ઘણુ વર્ષો સુધી રહી હતી. પૂના ગેડીજી ટેમ્પલ ટ્રસ્ટના ઉપાશ્રયે ચાતુર્માસમાં ભગવતી સૂત્રના વાંચન દરમ્યાન તે લખાણને સંસ્કાર દેવાની કલ્પના ઉદ્ભવેલી અને કાર્યને પ્રારંભ થયે. પાંચ શતક સુધીને પહેલે ભાગ તૈયાર થ, પ્રેસમાં ગયે અને બેરીવલી મુંબઈના જાંબલી ગલીના
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy