SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આરાધવા હતાં તેના કરતાં તેનાથી વિરુદ્ધ ‘ DOG એટલે પાશવિક જીવન જીવીને જીવનધનનુ' સČથા દેવાળુ કાઢ્યુ' છે. અનાદિ કાળના સ'સારમાં માનવ અવતાર અનતીવાર પ્રાપ્ત કર્યાં છે, પણ તે બધાય અવતારોમાં “ દીવા લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે ” આ ન્યાયે એકાર ગયા છે. આ ચાલુ ભવમાં તેમ ન થાય તે માટે પ્રબલ પુરુષા વડે સત્બુદ્ધિ અને સદ્વિવેકના માલિક બનેલા તે જીવાત્મા પેાતાના જીવનમાં સદ્ગુરુએની ઉપાસના કરશે. હજાર કામ છેડીને પણ તેમના વ્યાખ્યાને સાંભળશે. ઘરમાં પણ જેના વાંચનથી આચાર-વિચાર અને ઉચ્ચાર શુદ્ધ થાય તેવા પુસ્તકોનું વાંચન કરશે અને તે દ્વારા થયેલા જ્ઞાન વડે કરવા, કરાવવા અને અનુમેદના રૂપે પાપમાર્ગાને છેડી દે છે. મસ ! આનું જ નામ સામાયિકત્રત છે જે ઉત્કૃષ્ટતમ ધર્મ છે, કેમકે અનંત ભવાની માયાથી છુટકારો મેળવવાને માટે બે માર્ગ છે તેમાંથી એક માગ છે નવા પાપાના દ્વાર બંધ કરવા અને લાગતા જૂના પાપાને તપશ્ચર્યાંથી ધોઇ નાખવા. કપડા પર મેલ વાર લાગતી નથી પણ તેને ધાવામાં વાર લાગે છે અને પરિ શ્રમ પણ ઠીક ઠીક લેવા પડે છે, તેવી રીતે હિંસા-જાડચેરી-બદમાશીનું સેવન કરતાં વાર લાગતી નથી પણ તેના સ ંસ્કારાને નેસ્તનાબૂદ કરવા માટે આત્મિક જીવનમાં જબરદસ્ત પુરુષાર્થ કરવા પડે છે. આમાંથી એક પુરુષાર્થી તે છે જે બધાય પાપેાના દ્વાર એક સાથે અથવા થાડા વર્ષાની સાધના કર્યાં પછી બંધ કરે છે, જે સામયિક સયત કહેવાય છે, જેના બે ભેદ છે. (૧) ઈરિક (ઘેાડા સમય માટે) (૨) યાવત્કથિક (જીવન પંત) ચારિત્ર ગ્રહણ કર્યાં પછી ભવિષ્યમાં જેમને ઇંદો પસ્યાપનીય ગ્રહણ કરવાનુ છે તે ઇવરિક સયત છે અને સામાયિક
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy