SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ ૫૧૩ કેઈક સમયે તેવા પ્રસંગો પણ આવે છે જેમાં સર્વસ્વનું દાન આપવું અનિવાર્ય હોય છે. કેમકે દાન શબ્દ ત્રણ ધાતુઓથી બન્યું છે. “a” ને “હૈ” અને ” છે, અને ત્રણેના રૂપે “વીયતાં રોતાં ટીંપત” પણ એક સરખા જ થાય છે. માટે દેવા અર્થના ધાતુથી બનેલા શબ્દથી દાન આપવું અને પાલન કરવામાં એટલે કે તમારા જાતભાઈઓને કે સ્વામીભાઈઓને સ્થિર કરવામાં કે તેમનું પાલન પેષણ કરવામાં તમે રેજ આપે છે તેનાથી વધારે પણ આપવાની ફરજ પડશે અને અરિહંતેના ધર્મને રંગ તમને યદી હાડેહાડ લાગ્યો હશે તે પરિગ્રહને પાપ સમજીને પણ તમને દેવામાં ઉત્સાહ રહેશે અને ત્રીજો અર્થ છેદનમાં છે એટલે કે તમારી મૂળ માલમતામાંથી તમારા ભેજન પાણી ટૂંકાવીને પણ અર્થાત્ તમારી સ્થાવર મિલકતમાંથી તેના મોટા ભાગને છેદ કરીને પણ તમે જાતભાઈઓને વાવત્ અરિહંતેના ધર્મ પ્રચારમાં સર્વસ્વ આપવું પડે તે પણ તમે ભાગ્યશાળી કહેવાશે. ભામાશાહ, જગડુશાહ અને શાહ બીરૂદ રાખનાર ખેમાના અમર નામો તમને યાદ છે. તેમના જીવન સાંભળતા યદી તમારું મસ્તક ડેલતું હોય તે તમારે પણ તેમજ કર્યા વિના છુટકે નથી. આ રીતે સર્વસ્વનો ત્યાગ પછી તમારા જીવનમાં જે આનંદ આવશે તે અવર્ણનીય રહેશે. પાલીતાણા (શત્રુંજય) તીર્થના ઉદ્ધાર કરવાની ટીપમાં લાખ રૂપીયા મંડાવનાર હતા પણ સૌથી પહેલું નામ કેવું હતું ? જાણે છેને? માટે સર્વસ્વ દાન ઉત્તમ દાન છે. જીવનમાં જ્યારે ઉત્તમોત્તમ સાત્વિક્તા, પરોપકારિતા અદિ ગુણોને વિકાસ થાય છે ત્યારે ઉત્તમ દાન આપવાના મનોરથ જાગે છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy