SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા ઈન્દ્રિયોને સંયમિત કર્યા વિના આત્યંતર તપની પણ અશક્યતા છે. તેથી કહેવાયું છે કે ત્યાગ જ જૈન ધર્મનું મૂળ છે. ગશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે જે માનવ પોતાની પાસેના પૈસાને પણ ત્યાગ કરી શકતું નથી, તે બિચારે સંયમને રસ્તા પણ શી રીતે પ્રાપ્ત કરી શકશે ? માટે સર્વસ્વ ત્યાગ વિના ચારિત્ર નથી. - દષ્ટિરાગમાં આવીને વ્યાપારની ગણત્રીએ ચાહે લાખ કરેડે રૂપી આનું દાન કરે તે પણ તેનાથી સંયમ પુષ્ટ થઈ શકે તેમ નથી, તેથી મુનિ કે શ્રાવક બંનેને માટે અતિથિ સંવિભાગ વ્રત આદરણીય છે. કેમકે આનો અર્થ થાય છે પિતાની પાસે જે હોય તે બીજા વ્રતધારીને આપવું” માટે ગુરૂપદને શોભાવનારા આચાર્યને ધર્મ છે કે પોતાના શિષ્યોને ભણાવે–વાચના-પૃચ્છના આપે, હેતુ અને ઉદાહરણથી તેમને સંયમમાં સ્થિર કરે આદિ પ્રસંગમાં અતિથિ સંવિભાગને અર્થ સમાયેલ છે. જેની પાસે જે હોય તેને સમ્યક્ પ્રકારે ત્યાગ કરે તે આ વ્રતને સરળાર્થ છે. તેથી મુનિઓ ગૃહ ને સદુપદેશ આપીને પિતાનું વ્રત સાચવે અને શ્રાવકે પિતાની મર્યાદામાં રહીને પરિગ્રહને યથાશક્ય, યથાસ્થાન કે યથાપાત્રમાં વિતરણ કરે એટલે દાન આપે જેના બે ભેદ છે. (૧) આદરણીય મુનિરાજેને કલ્પનીય વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઔષધ, ઉપાશ્રય અને તેમનાં દર્શન, જ્ઞાન તથા ચારિત્રને પુષ્ટ કરે તેવાં સાધને આપે. (૨) પોતાના સ્વામીભાઈઓને જૈન ધર્મ પ્રાપ્ત કરાવવા માટે-સ્થિર કરવા માટે પોતાની શ્રીમંતાઈને સદ પગ કરી ઉત્તમત્તમ લાભ મેળવે. ઉપરના બંને અર્થોમાં તે ઘણું રાખીને થોડું પણ દાન . દેવાથી ચાલી શકે તેમ છે. પરંતુ અરિહંત દેના ઉપાસકેને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy