SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૧ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ (૪) અતિથિ સંવિભાગ-શિક્ષાવત : જૈન ધર્મ ત્યાગ પ્રધાન હોવાથી આ વ્રતને છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે, કેમકે ત્યાગધર્મ સૌના ભાગ્યમાં નથી હોતું અને સોમિલ દ્વિજે ચડતે પરિણામે આ વ્રત પણ સ્વીકારી લીધું. માનવને જ્યાં સુધી પિતાની પાસેના પરિગ્રહનો ત્યાગ કરવાનો ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેને ધર્મને રંગ ચલ મજિઠ્ઠિ બનતું નથી.” સંસારના ઘણું માનવેને આપણે જાણીએ છીએ કે ધર્મની ચર્ચા કરવામાં, બીજાને સારી સલાહ દેવામાં, દાન ધર્મની વ્યાખ્યા સમજાવવામાં, સમાજના ઉત્કર્ષની ચર્ચા કરવામાં, શાસનન્નતિની વાત કરવામાં, કણ સુગુરુ કે કુગુરુ?" કેના શિષ્ય સારા અને તેના ખોટા, ઈત્યાદિક ચર્ચાઓ કરવામાં એટલા બધા હોશિયાર પિલીટીકલ અને ચાવી ચાવીને કે મૂછમાં હસતાં હસતાં વાત કરતા હોય છે કે ન પૂછો. વાત. પરંતુ થોડીવાર પછી તેમનાં આન્તર જીવનની પરીક્ષા કરવી હોય તે અમુક યોજના માટે પૈસાની માંગણી કરી જાઓ. અને પછી તેમની સરસ્વતી પણ સાંભળવાને માટે ટાઈમ લેશે તે તે સમયે તમને થશે કે આવા નર રતનને પણ જન્મ દેનારી માવડીએ દુનિયામાં વિદ્યમાન છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. જૈન ધર્મને મૂળ. પાયે ત્યાગ છે. તે વિના બાહ્ય કે આત્યંતર આરાધના નામની કઈ વસ્તુ નથી. ચાહે અંતકૃત કેવળી હેય કે, ૨૦-૨૫ ભવ પછી કેવળજ્ઞાન મેળવનાર હોય તે સૌને સર્વસ્વ ત્યાગ કર્યા વિના છુટકે નથી, ચારિત્ર-સંયમ કે તપને સત્યાર્થ જ ત્યાગ છે, કેમકે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગ વિના : જેમ ભાવચારિત્રની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે, તેમ મન.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy