________________
૫૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉપર પ્રમાણેના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવ્રતે મળી બાર વ્રતને ભગવંત પાસે ઉશ્ચર્યા, પાળ્યા અને મહાવિદેહમાં જન્મીને દીક્ષિત થઈ નિર્વાણપદ પામશે.
mwanamke yeye શતક ૧૮નો ઉદ્દેશ દસમો પૂર્ણ, જ
સમાપ્તિ વચન બાલ્યવયથી સંયમી બનીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરી, તથા ઘણા ભાગ્યશાળીઓને કરાવી તે ઉપરિયાળ તીર્થોદ્ધારક, પાલીતાણું ગુરૂકુળના સ્થાપક, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતેવાસી, લેખન, વકતૃત્વ, સંગીત અને ચર્ચા આદિમાં સિદ્ધહસ્ત, અહિંસા ધર્મને સફળ પ્રચારક, સિંધ જેવા હિંસક દેશમાં પ્રાણના જોખમે પણ દેવીઓને અપાતા બલિદાનમાંથી સેંકડે હજારો મૂક પ્રાણીઓને અભયદાન અપાવનારા, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયકાવ્ય અને વ્યાકરણ તીર્થ, પંન્યાસ પદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) મહારાજે પોતાના સ્વાધ્યાયને માટે, ભવ ભવાંતરમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ભગવતી સૂત્ર સાર સંગ્રહના ત્રીજા ભાગમાં ૧૮મું શતક પૂર્ણ કર્યું છે.
૨૦૩૪, શ્રાવણ પૂર્ણિમા. " शुभं भूयात् सर्वेषां जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः "
શતક ૧૮ મું પૂર્ણ