SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વરસતા વરસાદના નિર્ણય કરનારને ક્રિયાઓ લાગે છે? હે પ્રભે ! આકાશથી વરસાદ વરસે છે કે નહીં? તેને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ કાઢે તે, પગ કાઢે તે, કાઢનારને શું કિયાએ લાગે છે? લાગતી હોય તે કેટલી લાગે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ વરસતાં કે ન વરસતાં વર્ષાદનાં નિર્ણય કરનારને કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ લાગે છે. નોંધ -માનવમાત્રને માટે સાવ સાધારણ પ્રસંગને આ પ્રશ્ન હોવા છતાં પણ આની મહત્તા ઘણું છે, કેમકે અનાદિકાળથી આ જીવાત્માને મેહ-માયા-કુતૂહલ-મશ્કરી-ખોટી શરતે મારવી, બીજાઓને આકસ્મિક રંજિત કરવા કે જ્યોતિષ, હાથચાલાકી કે વાચાલતા દ્વારા બીજાઓમાં કુતૂહલ કરવું આદિ-આપણા આધ્યાત્મિક જીવન સાથે હડહડતા વૈરવાળી ઘણી ક્રિયાઓ જે આપણા સૌના જીવનના રગેરગમાં અનાદિકાળથી ઓતપ્રોત થયેલી છે, તેને કંટ્રોલમાં લેવા માટે ભલભલા સાધકો પણ હાર ખાઈને બેઠા છે, અથવા આન્તર જીવનમાં છુપાઈને રહેલી આ આદતે જ્યારે કુતુહલ કરે છે ત્યારે માનવની જ્ઞાન સંજ્ઞા” કેવી રીતે હાથતાળી આપીને ગચ્છતી થાય છે તેની ખબર સારામાં સારી રીતે કર્મગ્રન્થની પ્રકૃતિઓને ગણવાવાળાઓને પણ ખબર પડતી નથી. વરસતા વરસાદને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ બરાબર કાઢવે આ સાવ સાધારણ કિયા હોવા છતાં પણ સાધકને આશ્રવના માર્ગ બંધ કરાવવાના ઈરાદાથી જ ભાવ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy