SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગશાળાએ પિતાના સ્થવિરેને લાવ્યા અને આત્મવિશ્વાસ સાથે શપથપૂર્વક કહ્યું કે “હે મારા મતાનુયાયીઓ આજે તમે મારા છેલ્લા શબ્દો સાંભળી લે કે હું જિન નથી પણ મંખલીપુત્ર શાળ નામને મહાવીરસ્વામીને શિષ્ય હતે. અત્યાર સુધી દંભી, માયા મૃષાવાદી બનીને મેં મારી જાતને તેમજ તમને સૌને ઠગ્યા છે, છેતર્યા છે, અને તેમ કરીને શ્રમણને ઘાતક હું બનવા પામ્યો છું, માટે મારા મરણ પછી મારા ડાબા પગે દેરડું બાંધજે, ત્રણ વાર મારા મુખ ઉપર ચૂંક અને મારા મૃત શરીરને શ્રાવસ્તી નગરીમાં ઘસડતાં ઘસડતાં લઈ જજે અને જોરજોરથી ઘોષણા કરજે કે શાળ જિન નથી, યાવત શ્રમણને નિંદક, ઘાતક અને અપજશ કરનાર છે.” આ અવસર્પિણના વીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે, જે સર્વજ્ઞ, અહંત છે, યાવત્ સિદ્ધ બુદ્ધ થઈને નિર્વાણપદને પામશે અને ગોશાળ મરણ પામે. આપણે બધા જાણીએ છીએ કે મતસ્થાપક જેટલે ચૂસ્ત અને હઠાગ્રહી હોય છે તેના કરતાં પણ તેમના અનુયાથીઓ વધારે ચૂસ્ત અને હઠાગ્રહના પૂતળા હોય છે. માટે કુંભારણના મકાનના દ્વાર બંધ કરી વચ્ચે શ્રાવસ્તી નગરીનું ચિત્ર બનાવ્યું અને ગોશાળાની આજ્ઞા પ્રમાણે પગે દોરડું બાંધીને ત્યાંને ત્યાં જ ફેરવ્યું, ત્યાર પછી અગ્નિસંસ્કાર કર્યો. રેવતી શ્રાવિકાની વક્તવ્યતા : : - તેજલેશ્યાથી ઉપદ્રાવિત ભગવાન મહાવીર સ્વામી કઈક સમયે શ્રાવસ્તી નગરીને કેષ્ટિક ચેત્યોદ્યાનથી બહારના જન પદમાં વિહરતાં હતાં તે કાળે અને તે સમયે મંઢિક નામનું નગર હતું. તેના ઈશાનકેણમાં શાળકેક નામે ચેત્યોદ્યાન
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy