SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ . ૩૧૧ લાને ચૂસતે મદિરાપાન કરતો, માટીના ઠંડા પાણીને પોતાના શરીર પર છાંટતે તે કષ્ટપૂર્વક પિતાને સમય પસાર કરે છે તથા આઠ પ્રકારની ચરમતા પિતાના અનુયાયીઓને સમજાવે છે. (તે મૂળસૂત્રથી જેવી.) મૃત્યકાળ પાસે આવ્યો ત્યારે પોતાના મતાનુયાયીઓને કહ્યું કે મારા મરી ગયાની ખબર પડે ત્યારે મારા શરીરને સુગંધી પાણીથી સ્નાન કરાવજે, થાવત્ હજાર માણસેએ ઉપાડેલી પાલખીમાં મને લઈ જજે, સાથોસાથ ઉષણ પણ કરજો કે આ અવસર્પિણીને છેલ્લો તીર્થકર શાળા મરીને સિદ્ધ-બુદ્ધ થયું છે. પરંતુ જેમ જેમ વેદના તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ થતી ગઈ અને ભયંકર વેદનાઓને ભેગવતા શાળાના ભાગ્યમાં છેલ્લી રાત્રિ આવી ગઈ. તે સમયે તે ગોશાળાને પાકી ખાત્રી થઈ ગઈ કે હવે હું કેઈ કાળે પણ બચનાર નથી. સંસારને કેઈપણ દેવ કે મારા પરમ ભક્તો-ભક્તાણીઓ પણ બચાવી લેવાને સમર્થ નથી, ત્યારે સર્વથા નિ સહાય થયેલા તેને કાંઈક સારા વિચારોને પ્રકાશ થયે અને પિતાનાં આત્માનું ભાન થયું કે “હું જિન નથી, સર્વજ્ઞ નથી, તીર્થકર કે અહંત નથી ” અત્યાર સુધી હું મારી જાતને જિન આદિ કહેતું હતું તે સસત્ય વચન હતું. સુનક્ષત્ર અને સર્વાનુભુતિ જેવા મુનિઓને હું ઘાતક બન્યા, શ્રમણને વિરોધી બન્ય, ઉપાધ્યાય તથા આચાર્યોને અાજસકારક બને. અસંભાવનાઓ અને મિથ્યાભિનિવેશની કલ્પનામાં મેં મારી જાતને ફસાવીને બીજાઓને પણ ભ્રમમાં નાખ્યા, પરિણામે મારી તેજેશ્યા મારી જ ભક્ષક બનવા પામી છે. સત્ય સ્વરૂપે મહાવીરસ્વામી જિન છે, જિન પ્રલાપી છે, અહંત છે, સર્વજ્ઞ છે. આ પ્રમાણેના સારા વિચાર આવતાં જ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy