SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભગવાનને મારવા માટે પિતાના શરીરમાંથી તેજલેશ્યા બહાર કાઢી અને મહાવીર ઉપર ફેંકી દીધી, પણ પર્વતથી ટકરાયેલ પવન જેમ પાછો વળે, તેમ તેજોલેશ્યા પણ મહાવીરસ્વામી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને પાછી ફરતી ગશાળાના શરીરમાં જ પ્રવેશ કરી ગઈ. સાપને રમાડનારે જેમ સાપથી મરે, પાણીમાં તરનાર જેમ પાણીમાં મરે, તેમ આસુરી શક્તિ અને બુદ્ધિને સ્વામી પિતાની જ માયાજાળમાં ફસાઈને પોતાની પરઘાતક શક્તિઓ વડે જ મરે છે. ગશાળાની પણ આજ દશા થઈ કેમકે પ્રાકૃતિક નિયમે સૌ કેઈને માટે એક સમાન છે. તેજલેશ્યાના તાપથી હતપ્રભ થયેલા શાળાને પ્રભુએ કહ્યું કે “તારી તેજેલેશ્યાથી મરવાને નથી અને હજી પણ કેવળી અવસ્થામાં સોળ વર્ષ સુધી જીવિત રહીશ, પણ ગોશાળા! તું તે સાત રાત્રિ પૂર્ણ થયે જ મરવાને છે.” શ્રાવસ્તી નગરીના લેકમાં પણ એક વાત ચર્ચાઈ રહી છે કે મહાવીર જ તીર્થકર છે, સર્વજ્ઞ છે અને અહંત છે. ગશાળે જુઠે છે. પિતાના શ્રમણોને ભગવંતે કહ્યું કે જે પ્રમાણે ઘાસ-કાછછાણ આદિમાં પડેલા અગ્નિના કણ વડે તે બધા બળીને ખાખ થયા પછી નિસ્તેજ થઈ જાય છે, તેમ તમે તેની સાથે ધર્મની ચર્ચા કરે, તેના મનની સમાલોચના કરો અને હેતુ તથા ઉદાહરણથી તેને નિરુત્તર કરો. ત્યાર પછી તે શ્રમણે શાળા પાસે ગયા અને ચર્ચા આદિથી તેને નિરુત્તર કર્યો. હતપ્રભ અને નિસ્તેજ થયેલે ગોશાળ કુદ્ધ થયે પણ એકેય નિગ્રંથને કાંઈપણ કરી શક્યો નથી.. - તેજલેશ્યાથી અંગેઅંગે દાહ પામતે, હાથપગ પછાડતે ગોશાળે હાલાહલા કુંભારણને ત્યાં આવ્યો અને કેરીના ગોટે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy