SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ : ૨૮૯ રૂપમાં ઓળખી શક્યા હતા! “ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વપ્રધાન હોય છે એ નિર્ણય કર્યો આત્મા કરી શકે? વિવેકી આત્મા કે અવિવેકી આત્મા ? કહે કે-વિવેકી આત્માઓ જ “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન હોય છે -એ નિર્ણય કરી શકે. જેને ગુણ કેને કહેવાય અને દોષ કોને કહેવાય-એનું ભાન નથી, જેને આત્માનું સ્વાભાવિક સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપ શાથી આવરાએલું છે-એ વિષેની સાચી સમજ નથી, એવા આત્માઓ “સર્વપ્રધાન તે ભગવાન શ્રી જિનેશ્વરદે જ હોઈ શકે એવા પ્રકારનો નિર્ણય, સ્વતન્ત્રપણે, માત્ર પોતાની સમજ ઉપર જ આધાર રાખીને, કરી શકતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને સર્વ પ્રધાન તરીકે ઓળખવાને માટે, ગુણની અને દેષની પરખ જોઈએ. જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધાના બળે પણ સર્વપ્રધાન તે ભગવાન શ્રી જિને શ્વરદે જ હેય”—એવી માન્યતાને હૈયામાં ધરીને, ભગવાન શ્રી જિનેશ્વરની ભક્તિ કરનારા આત્માઓ હોઈ શકે છે, પરંતુ એ તારકેને એ તારકેના સાચા સ્વરૂપમાં પિછાનીને એ તારકે જ સર્વપ્રધાન છે”—એવા માનસિક નિશ્ચયને ધરનારા આત્માઓની તે બલિહારી છે. ટીકાકાર આચાર્ય ભગવાન સમજપૂર્વકના નિશ્ચયને ધરનારા હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવે કેવા સર્વ દોષરહિત અને કેવા સર્વગુણસંપન્ન હેય છે, એ વાતને ટીકાકાર આચાર્યભગવાન સારી રીતિએ સમજતા હતા. આ વાત એ મહાપુરૂષે વાપરેલાં પહેલાં ચાર વિશેષણોથી પણ સિદ્ધ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ તરીકે, ઈશ્વર તરીકે, અનન્ત તરીકે અને અસંગ તરીકે ૧૦
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy