SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચાલી રહેલી સ્તવનામાં સૂર પૂરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે એ તારકની જેમ આપણને પણ એવું અસંગપણું વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય !” ૮. ભગવાનની અચ્ય તરીકે સ્તવના ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વપ્રધાનતાઃ નવાંગી ટીકાકાર-આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાનું ભગીરથ કાર્ય શરૂ કરતાં, મંગલાચરણ કર્યું છે અને આ મંગલાચરણના પહેલા લેકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી છે. ટીકાકાર પરમર્ષિએ અહીં ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરતાં, પન્દર વિશેષણે વાપર્યા છે. અહીં આપણે હજુ તે મંગલાચરણના પહેલા લેકમાં જ છીએ. એ પંદર વિશેષણે વિષે જ આપણે વિચારી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે સર્વસ, ઈશ્વર, અનન્ત અને અસંગ-એમ ચાર વિશેષણેના સંબંધમાં વિચાર્યું. હવે પાંચમું વિશેષણ છે,અધ્ય. અચ્ચને અર્થ ? શા મવમ તિ અal સૌથી આગળ પડતી વસ્તુ અગર તે વ્યક્તિને માટે આવું વિશેષણ વાપર્યું હોય, તે જ તે સાર્થક ગણાય. આ વિશેષણ પ્રધાનતાનું સૂચક છે. ટીકાકાર આચાર્યભગવાન, ભગવાન શી જિનેશ્વરદેવને અહીં “સર્વ પ્રધાન તરીકે સ્તવે છે, કેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન હોય છે અને ટીકાકાર આચાર્યભગવાન ભગવાન શ્રી જિનેશ્વરદવેને સાચા
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy