SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ઉપજાવી શકાય તેવું પણ હોય છે. આપણે નથી જાણતા કે આપણું પુણ્ય કેવા પ્રકારનું છે, માટે આપણે તે ભગવાને દર્શાવેલા માર્ગને અનુસરવાને જ પ્રયત્ન કર્યો કરવાને ! દરેક કાર્ય પાંચ કારણેના ગે બને છે : પુણ્યની બીલકુલ સહાય ન હોય અને કઈ પણ જીવ ધર્મને પામી શક્યા હેય, આરાધી શક્યો હોય અને મુક્તિને પામી શક્ય હેય-એવું બન્યું ય નથી, બનતું ય નથી અને બને તેમ પણ નથી. કાલ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ-એ પાંચ કારણેના યોગે જ દરેક કાર્ય બને છે. એ પાંચ કારણોમાં કે ઈવખતે કેઈ કારણની પ્રધાનતા હોય, તે કઈ વખતે કઈ કારણની પ્રધાનતા હેય. વેગ પાંચે ય કારણોને હેય, પણ પ્રધાનતા કેઈ કઈ કારણ વિશેષની હેય. આપણે તે અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય અને ભવ્યમાં પણ ગુરૂકમ તથા લઘુકમ-એમ પણ જેના અનેક ભેદને માનનારા છીએ. અભવ્ય આત્માઓ સ્વભાવથી “મુક્તિને પામવાની લાયકાતથી રહિત હોય છે. જાતિભવ્ય આત્માઓ સ્વભાવે “મુક્તિને પામવાની લાયકાતવાળા હોય છે, પણ એ જીવનું તથાભવ્યત્વ એવા પ્રકારનું હોય છે કે-એ જીવને મુક્તિમાર્ગની સામગ્રીને વેગ થતું જ નથી. જાતિભવ્ય જી કઈ પણ કાળે અવ્યવહાર-રાશિમાંથી વ્યવહાર–રાશિમાં આવી શકતા જ નથી. ભવ્ય સ્વભાવવાળો જીવ વ્યવહારરાશિમાં આવે, તે સમજવાનું કે-એ જીવનું તથાભવ્યત્વ એવું છે કે તે ગમે ત્યારે પણ અવશ્ય મુક્તિને પામવાને.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy