SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતવાર, અનેક પ્રકારનું ભયાનક અશાતાવેદનીય રૂ૫ દુ:ખ અનુભવાયેલું છે. Iકરો ગાથાર્થ - અનેક પ્રકારની મહાભયંકર વેદના યુક્ત તિર્યંચગતિને પામીને ત્યાં જન્મ મરણ રૂ૫ રેંટમાં અનંતવાર તેં પરિભ્રમણ કર્યું છે. કal ભાષાંતર - હે જીવ! તું તિર્યંચગતિને પામેલો, અનેક પ્રકારની મહાભયંકર વેદનાને સહન કરતો છતો જન્મ-મરણ રૂપ રેંટમાં અનંતવાર ભયેલો છે. અને કહેલું છે કે “પરલોકમાં જે નિયમવાળા થયેલા હોય છે તે તિર્યંચના જીવો આ લોકમાં અસાર એવી ચાબૂક, અને સેંકડો નિપાત વધ-બંધ અને મરણને પામતા નથી. IIકall ગાથાર્થ – સંસારમાં જેટલા શારીરિક અને માનસિક દુઃખો છે, તે સર્વે દુ:ખો જીવે ભવાટવીમાં અનંતવાર પ્રાપ્ત કર્યા છે. જો ભાષાંતર - હે આત્મા! આ સંસાર રૂપી જંગલમાં જેટલા શરીર સમ્બન્ધી દુ:ખો અને મનથી ઉત્પન્ન થયેલા દુઃખો છે, તે સર્વે દુ:ખો આ જીવે અનંતવાર પ્રાપ્ત કરેલા છે. ૪. ગાથાર્થ – સંસારમાં અનંતવાર તને એવી તૃષા થઈ હતી કે જેને શમાવવાને સકલ સાગરનું પાણી અસમર્થ થાય. IIકપા. ભાષાંતર - હે જીવ ! સંસારમાં અર્થાતુ કે નરકમાં તને તેવા પ્રકારની તૃષા અનન્તવાર પ્રાપ્ત થયેલી હતી કે જે તૃષાને શાંત કરવા માટે સઘળા સમુદ્રોનું પાણી પણ શક્તિમાન ન થાય. ગાથાર્થ – સંસારમાં અનંતવાર તારી ભૂખ પણ એવા પ્રકારની હતી કે જે શમાવવાને સર્વ પુદ્ગલો પણ સમર્થ ન થાય. કડા ભાષાંતર – હે જીવ!તને સંસારમાં અર્થાતુ કે નરક ભવમાં અનંતવાર તેવા પ્રકારની ભૂખ પ્રાપ્ત થયેલી હતી કે જેને શાંત કરવા માટે સર્વે ઘી વિગેરે પુદગલો પણ સમર્થ થાય નહીં. વૈરાગ્યશતક ૩૭
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy