SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ મેલિયા ખેલ જે તે ગણું, [૪૧ હે કૃ] ઈંદ્ર પણ ચલાવી ન શકે, દૂર સુધી પ્રસરી રહેલા અપાર લાભરૂપ જળના મહાપુરમાં બીજા સ તૃણ માફક વહેતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રાવેલીની માફક પલળે નહી' એવા છે.” જેમ સિદ્ધ બીજાના હાકારો સહન કરી શકતા નથી તેમ રિગમેષી દેવતાનું વચન સહન કરનારા ચંદ્રશેખર દેવતા ત્હારી પરીક્ષા કરવા માટે આવ્યેા. પાંજરા સહિત પેાપટને તે હરી ગયા. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શૂન્ય નગર પ્રગટ કર્યું, અને એક ભયકર રાક્ષસરૂપ ધારણ કર્યુ. તેણે જ તને સમુદ્રમાં ફેકયા, અને બીજી પણ ધાસ્તી ઉપાવી. પૃથ્વીને વિષે રત્ન સમાન એવા હે કુમાર ! તે જ ચંદ્રશેખર દેવતા હું છું. માટે હે સત્પુરૂષ ! મ્હારા આ સવે દુષ્ટ કૃત્યાની માફી આપ. અને દેવતાનુ" દર્શીન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઇક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યુ.. “ શ્રીધર્મના સમ્યક્ પ્રસાદથી મ્હારાં સર્વે કાર્યો સિદ્ધ થયાં છે, માટે મ્હારે હારી પાસે માગવા જેવુ... કાંઈ નથી, પરંતુ હું શ્રેષ્ઠ દેવતા! તુ* નદીશ્વર આદિ તીર્થાને વિષે યાત્રાએ કર, એટલે ત્હારા દેવતાના ભવની સફળતા થશે. ’ ચ‘દ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પોપટનું પાંજરૂ કુમારના હાથમાં આપ્યુ. અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂકયા. પછી રાજા આદિ લાકોની આગળ કુમારને મહિમા પ્રગટ કહી ચંદ્રશેખર દેવતા તુર'ત પેાતાની જગ્યાએ ગયા. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બન્ને સ્ત્રીઓને સાથે લઈ પેાતાના નગર તરફ પ્રયાણ કર્યું. શ્રા. ૩૧
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy