________________
૪૬૮] બહ રાગે જે જિનવર પૂજે, (૧૧) [શ્રા. વિ. ભયંકર આવે છે! ! તાપસ સ્વભાવથી શાંત હતા, તે પણ તેને ઘણે ક્રોધ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે, તે પણ તેને તપાવીએ તે તે ઘણું ગરમ શું ન થાય? તાપસ તત્કાળ મરણ પામીને રાક્ષસ યુનિમાં ગયા. મરણ વખતે તેવી અવસ્થામાં રૌદ્રધ્યાનમાં) રહેનારા જીવને વ્યંતરની ગતિ મળે છે. હીન નિમાં ઉત્પન્ન થયેલા તે દુષ્ટ રાક્ષસે રેષથી ક્ષણ માત્રમાં એકલા રાજાને મારી નાખે. અરેરે! અણુવિચાર્યું કાર્ય કરવાથી કેવું માઠું પરિણામ આવે છે! પછી રાક્ષસે નગરવાસી બધા લોકોને બહાર કાઢી મૂક્યા. રાજાને અવિચારી કૃત્યથી પ્રજાઓ પણ પીડાય છે. તે રાક્ષસ હજી પણ જે કેઈ નગરીની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હણે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારને કણ ક્ષમા કરે ? માટે હે વીરપુરુષ! હારૂં શુભ ઈચ્છનારી હું તને યમના મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતાં અટકાવું છું.” રત્નસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી તેનું વાક્ચાતુર્ય જેઈ આશ્ચર્ય લાગ્યું તે પણ રાક્ષસથી લેશ માત્ર ડર્યો નહિ! વિવેકી પુરુષે કઈ પણ કાર્ય કરતાં ઉત્સુક કાયર તથા આળસુ ન થવું એમ છતાં કુમાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણે ઉત્સુક થયા. પછી કઈને ડર ન રાખનાર શૂરવીર કુમાર રાક્ષસનું પરાકમ જેવાને કૌતુકથી જેમ સંગ્રામભૂમિમાં ઉતરે તેમ શીધ્ર તે નગરીમાં ગયે. આગળ જતાં કુમારે જોયું તે કઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાષ્ઠને ઢગલા પડયા હતા. યુગલિયાને જોઈએ તેવાં પાત્ર આપ