SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દિ કૃ] દાન હરણાદિક કેમ ઘટે, [ ૭ ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ એવી રીતે અહેરાત્રમાં સવ મળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રય થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હોય તે છ થાય. સૂતી વખતે જે ન કરે તે પાંચ અને જાગતી વખતે ન કરે તે ચાર. જિનમંદિર ઘણું હોય તે પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈિત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનું - કદાચિત ન બને તે ત્રણ ટંક અવશ્ય દેવવાંદવા. આગમમાં - કહ્યું છે કે–“હે દેવાનુપ્રિય ! આજથી માંડી જાવજજીવ સુધી ત્રણ કાળ વિક્ષેપ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંદવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યપણુથી એજ સાર લેવા ગ્ય છે. પહેલા પહેરે જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સુધી પાણી ન પીવું. મધ્યાન્હ સુધી દેવને તથા સાધુને વંદન કરાય ત્યાં સુધી ભેજન ન કરવું. તેમજ પાછલે પહેરે દેવને વંદના કર્યા વિના શયન ન કરવું.” બીજે પણ આમ કહ્યું છે ગીત નાટક ભાવ પૂજામાં પણ સમાય છે. ' ગીત નાટક પ્રમુખ અગ્ર પૂજામાં કહેલ છે, તે ભાવ પૂજામાં પણ આવે છે તે (ગત નાટક) મહા ફળનું કારણ હોવાથી મુખ્ય માગે તે ઉદયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતે જ કરવું. નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે – પ્રભાવતી હાઈ કૌતુકમંગળ કરી, ઉજજવલ વસ્ત્ર પહેરી હંમેશાં આઠમ તથા ચૌદશે ભક્તિરાગથી પિતેજ ભગવાન પાસે નાટક કરે. રાજા રણની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાડે. ભગવાનની ત્રણ અવસ્થાનું ચિતવન કરવું.
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy