SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ - કે સંયમ પણ સંસારનું કારણ છે. તે શું વાસ્તવમાં સંયમ એ સંસારનું કારણ છે? ઉત્તર ૧: સ્વર્ગમાં ઉત્પન્ન થવું તે સંયમનું કૂળ નથી પરંતુ તે સંજવલન કષાયનું ફળ છે. સંયમ વડે તે કષાયનું પરિમાર્જન થાયે છે, અને કષાયને પાતળા કરે છે. સંયમથી કષાયને નિર્બળ કરતાં , કરતાં પણ જે તે શેષ બાકી રહી ગયા તેના પ્રભાવથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ સંયમથી નહિ. . પ્રશ્ન ૨. જે સંયમ એ જ સ્વર્ગ પ્રાપ્તિનું કારણ નહિ માને તે ભગવતી શ. ૨૫, ઉ. ૭માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રથમના ચાર પશમ જન્ય સંયમીમાંથી અમુક સંયમી સ્વર્ગમાં અમુક અમુક હદ સુધી જઈ શકે છે તે આ પ્રમાણેનું વર્ણન કેમ બતાવેલ છે? ઉત્તર ૨: કષાયની નિર્બળતા એ જ સ્વર્ગ પ્રાપ્તિનું કારણ છે. એ વાત ખરી જ છે. પરંતુ સંયમી જ કષાયને નિર્બળ કરી શકે છે. કષાયના પશમની વિભિન્નતાને કારણે જ ક્ષયોપશમ ચારિત્રના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે. કષાયના ક્ષયે પશમની પ્રબળતા એ જ વધારે અધિક ઉચ્ચ ગતિનું કારણ છે. આયુષ્યકર્મને બંધ આર્તધ્યાન વિના થતું નથી અને આત ધ્યાનના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ છે. પ્રશસ્ત આર્તધ્યાન: ભલે ગમે તેવું સારું હોય તે પણ મેક્ષનું કારણ બની શકતું નથી. તેમ છતાં પણ તે શુભ છે, અને તેથી તે વૈમાનિક ગતિનું કારણ છે. સારાંશ એ છે કે, જન્મ-મરણનું કારણ કષાયે છે પરંતુ જ્ઞાન-દર્શનચારિત્ર નહિ. તે તે માત્ર મોક્ષપ્રાપ્તિના જ કારણરૂપ છે. - કે પ્રશ્ન ૩ઃ અહીં તે આરાધક સંયમીનું કથન છે, પરંતુ જેમાં કષાય અને પ્રમાદનું અસ્તિત્વ હેય તેને આરાધક કેમ કહેવાય? અને જો તેને આરાધક માનીએ તે તેમાં પ્રમાદ અને કષાય કેમ ઘટે? ઉત્તર ૩ઃ અલ્પ કષાય ચારિત્રમાં દોષ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી બની શકતે. જો કે તે અલ્પ કષાય (સંજવલન) યથાખ્યાત
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy