SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ શ જી ભગવતી સ. ૧૬ ઉ. ૨. ૩૪૫ એ પછી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરીને પૂછયું : હે ભગવન ! જે કેન્દ્રજીએ આ કહ્યું કે હું સ્વામી પણાની આજ્ઞા દઉં છું તે શું સત્ય છે? મહાવીરઃ હા. ગૌતમ! સત્ય છે. ૌતમઃ હે ભગવન્! શક્રેન્દ્રજી સત્યવાદી છે કે મિથ્યાવાદી છે? મહાવીરઃ હે ગૌતમ! શકેન્દ્ર સત્યવાદી છે, મિથ્યાવાદી નથી, ગૌતમહે ભગવાન ! શું શકેન્દ્રજી સત્ય ભાષા બોલે છે, અસત્ય ભાષા બોલે છે, મિશ્રભાષા બોલે છે કે વ્યવહારભાષા બોલે છે? મહાવીર : હે ગૌતમ! સત્યભાષા બોલે છે. યાવત્ ૦૫વહારભાષા બેલે છે. એટલે કે ચારે ભાષા બોલે છે. ગૌતમઃ હે ભગવન! શકેન્દ્રજી સાવદ્ય (પાપયુક્ત) ભાષા બેલે છે કે નિવઘ (પાપરહિત) ભાષા બોલે છે? મહાવીરઃ હે ગૌતમ ! શકેદ્રજી પાપયુક્ત અને પાપરહિત અને ભાષા બેલે છે. ગૌતમ હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! જ્યારે કેન્દ્ર હાથ, વસ્ત્ર, આદિથી મુખ ઢાંકીને ભાષા બોલે છે ત્યારે તે પાપરહિત ભાષા છે. કેમ કે મુખને હાથ આદિથી ઢાંકીને બેલવાથી વાયુકાયના જીવની રક્ષા થાય છે. જ્યારે શક્રેન્દ્રજી ઉઘાડા મેઢ (હાથ આદિથી મુખ ઢાંકયા વિના) ભાષા બેલે છે ત્યારે તે પાપયુક્ત ભાષા છે. કેમ કે એથી વાયુકાયના જીની હિંસા થાય છે. ગૌતમ હે ભગવન! શકેન્દ્રજી. ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? સમ્યફષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે? પરિત સંસારી છે કે અનંત
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy