SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શ્રી ભગવતી ઉ૫૫મ સંસારી છે? સુલભધિ છે કે દુર્લભધિ છે? આરાધક છે કે વિરાધક છે? ચરમ છે કે અચરમ છે? – ૧ - મહાવીર : હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યક્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ નથી. પરિત સંસારી છે, અનંત સંસારી નથી. સુલભધિ છે, દુર્લભધિ નથી. આરાધક છે, વિરાધક નથી. ચરમ છે, અચરમ નથી. ગતમ: હે ભગવન ! એનું શું કારણ? મહાવીરઃ હે ગૌતમ! શક્રેન્દ્રજી બહુ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનાં હિત, સુખ, પથ્ય, કલ્યાણના ચાહવાવાળા છે, એટલે શક્રેન્દ્રજી ભવસિદ્ધિક છે. યાવત્ ચરમ છે. અચરમ નથી. વેદના અને કર્મક્ષય શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬ ઉ. ૪ને અધિકાર " ગીતમઃ હે ભગવન ! નિત્યજી (અનવિના જેને ન ચાલે તે) શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે, તેટલું કર્મ નૈરયિક જીવે નરકમાં એક વરસે, અનેક વરસે કે સે વરસે ખપાવે? મહાવીરઃ હે ગૌતમ! એ વાત બરાબર નથી. ગૌતમ હે ભગવન ! ચતુર્થભકત (એક ઉપવાસ) કરનાર શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ અપાવે તેટલું કર્મ નૈરયિક જીવે નરકમાં સે વરસે, અનેક સે વરસે કે હજાર વરસે ખપાવે ? મહાવીરઃ ના. ગૌતમ! તે વાત બરાબર નથી. ગૌતમ બે ઉપવાસ કરનારે શ્રમણ જેટલું કર્મ ખપાવે, તેટલું નૈરયિક એક હજાર વરસે, અનેક હજાર વસે કે એક લાખ વરસે અપાવે ? મહાવીરઃ હે ગૌતમ! એ વાત બરોબર નથી.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy