SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાના શસ્ત્ર ભગવતી શ–૧૪. ઉ-૩. 2૨૭ - મહાવીર : હે ગૌતમ ! જવાની શક્તિ તે નથી, પરંતુ સામેવાળા દેવ પ્રમાદમાં હોય તે ચાલ્યા જાય છે. ગૌતમ હે ભગવન ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે કે પ્રહાર કર્યા વિના જાય છે? મહાવીરઃ હે ગૌતમ ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે, પરંતુ શસ્ત્ર પ્રહાર કર્યા વિના જતા નથી. ગૌતમ : હે ભગવન્પહેલાં શસ્ત્ર પ્રહાર કરીને પછી જાય છે કે પહેલાં જઈને પછી પ્રહાર કરે છે? મહાવીર : હે ગૌતમ ! પહેલાં શસ્ત્રને પ્રહાર કરીને પછી જાય છે, પરંતુ પહેલાં જઈને પછી પ્રહાર કરે છે એવી વાત નથી. ગૌતમ? હે ભગવન્! મહાદ્ધિવાળા દેવ અપઋદ્ધિવાળા દેત્રની વચ્ચે વચ્ચે થઈને જાય છે ? મહાવીર : હે ગૌતમ ! જાય છે ગૌતમ ! હે ભગવન્ ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે કે પ્રહાર કર્યા વિના જાય છે? મહાવીર હે ગૌતમ! પ્રહાર કરીને પણ જઈ શકે છે અને પ્રહાર કર્યા વિના પણ જઈ શકે છે? ગેનમ: હે ભગવન્! પહેલાં શસ્ત્રને પ્રહાર કરે છે ને પછી જાય છે કે પહેલાં જાય છે અને બાદમાં પ્રહાર કરે છે? મહાવીર ઃ હે ગૌતમ ! ઋદ્ધિવાળા દેવતાની ઈચ્છા હોય તે પહેલાં પ્રહાર કરીને પછી જાય છે અથવા પહેલાં જઈ પછી પ્રહાર કરે છે. એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું. સમુચ્ચય દેવતા અને ૧૩ દંડક દેવતા એ ૧૪ માં ત્રણ ત્રણ <-અલાવા કહેવાથી ૪૨ અલાવા < ૧ અલ્પઋદ્ધિવાળા મહાદ્ધિવાળા દેવ ૨ સમાનઋદ્ધિવાળા સમાનહિવાળા દેવ. મહાદ્ધિવાળા અલ્પઋદ્ધિવાળા દેવ–એ ૩ અલાવા થયા.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy