SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જય'તિષ્ઠાઇના પ્રશ્નો ભગવતી શ-૧૦ - ઉ-૨. છે કે પરિણામથી છે ? મહાવીર : હૈ જયંતી ! ભવસિદ્ધિક જીવા સ્વભાવથી છે, પણુ પરિણામથી નથી. ૨૩૧ જયંતીઃ હે ભગવન્ ! જો સર્વે ભવસિદ્ધિક જીવા સિદ્ધ થશે. તે આ લેક ભસિદ્ધિક જીવેારહિત થશે ? મહાવીર : હૈ જયંતી ! તે અ યથાર્થ નથી જેમ સ આકાશની શ્રેણી હાય; તે અનાદિ, અનંત તથા ઉપરની બાજુએએ પરિમિત અને બીજી શ્રેણીએથી પરિવૃત હાય, તેમાંથી સમયે સમયે એક પરમાણુ પુદ્ગલના માત્ર ખડે કાઢતાં કાઢતાં અનંત યુગેા વીતી જાય, તેા પણ તે શ્રેણી ખાલી થાય નહિ. તે પ્રમાણે બધાય ભવસિદ્ધિ જીવા સિદ્ધ થવાની ચે.ગ્યતાવાળા છે તે પણ લેક ભત્રસિદ્ધિક જીવે વિનાના થશે નહિ. જયંતી : હે ભગવન્ ! સૂતેલાપણું સરું કે જાગેલાપણુ સારું ? મહવીર : હે જયંતી ! કેટલાક જીવેનું સૂતેલાપણું સારું; અને કેટલાક જીવેનું જાગેલાણું સારું. અધર્મી લેાકેનું સૂતેલાપણું જ સારું. કારણ કે તાજ એ લોકો અનેક ભૂતપ્રાણીઓને દુઃખ આપનારા ન થાય; તેમ જ પેાતાને કે ખીજાને કે બન્નેને ઘણી અધામિક સંચાજના [ ક્રિયા ] સાથે ન જોડે. પરંતુ જે જીવા ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે; કારણુ કે તેએ અનેક ભૂતપ્રાણીઓને સુખ આપનારા થાય છે, અને પેાતાને, પર્વને કે બન્નેને ઘણી ધાર્મિક સઞાજના [ક્રિયા] સાથે જોડનાર થાય છે. વળી, એ જીવા જાગતા હાય તે ધર્મ જાગરિકા વડે પાતાને જાગૃત રાખે છે. માટે એ જીવાનું જાગેલાપણું સારુ છે. જયંતી : હે ભગવન્ ! સખળપણું સારું કે દુલપણું સારું? મહાવીર ઃ હૈ જયંતી ! કેટલાક જીવાનું સખળપણું સારું અને કેટલાકનું દુબળપણું સારું; ધાર્મિક જીવાનું સખળપણું સારું
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy