SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરરાજ ચમર ભગવતી શ. ૩ ઉ. ૨ મહાવીર : હું ગૌતમ ! જીવારિતકાય પણુ અરૂપી હાઈ રૂપગ ધાદિ વિનાના છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી તે લેાકપ્રમાણ છે. કાળથી તે નિત્ય છે. ભાવથી રંગગ ધાદ્ધિ વિનાના તથા ગુણુથી ખાધ વ્યાપારરૂપ ઉપયાગ ગુણવાળા છે. ગૌતમ : હું ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ ગંધાદિ છે ? ૪૯ મહાવીર : હૈ ગૌતમ ! તે પાંચ વર્ણ, પાંચ રસ, એ ગધ અને આઠ સ્પવાળા છે. મૂર્ત છે, અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લેાકદ્રવ્ય છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂપ છે, લેાક જેટલા ક્ષેત્રમાં છે, કાળથી નિત્ય છે, ભાવથી રંગ ગંધાદિવાળા છે અને ગુણુથી તે પરસ્પર સંયેાગ-વિયેાગ ગુણવાળા છે. કારણ કે ઔદારિકાદિ અનેક પુદ્દગલે સાથે જીવને સંબંધ છે. અથવા પ્રાણધારી જીવ ઔદારિકાદ્ધિ અનેક જાતના પુદ્ગલેાનું ગ્રહણ કર્યાં કરે છે. અને છેડયા કરે છે. ગૌતમ : હે ભગવન ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ - તે ધર્માસ્તિકાય ' એમ કહેવાય ! ܕ મહાવીર : ના. ગૌતમ ! એ પ્રમાણે એ ત્રણ કે અસ ય પ્રદેશ પણ ન કહેવાય. જ્યાં સુધી ધર્માસ્તિકાયના એક પ્રદેશ પણ ઊણા છે ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય ન કહેવાય. કાણુ કે ચક્રના ભાગ ચક્ર ન કહેવાય. તે આખુ` હોય ત્યારે જ ચક્ર કહેવાય. તે પ્રમાણે જ્યારે ધર્માસ્તિકાય પૂરા હેાય ત્યારે જ ધર્માસ્તિકાય એમ કહેવાય. (૨૭) અસુરરાજ-યમર શ્રી ભગવતી શ. ૩. ૩. ૨.ના અધિકાર રાજગૃહ નગરમાં મહાવીર ભગવાન પધાર્યાં હતા. તે વખતે અસુરરાજ ચમર ગૌતમાદિને નાટયવિધિ+ દેખાડી ગયા. તે ઉપરથી ગૌતમ પ્રશ્ન પૂછે છે - દેવતાએ ભગવાનની સામે નાટક કરે છે. તે દેવતાઓના જીત વ્યવહાર છે. અને તેના આશય ધકરણી તથા તીર્થંકરનું માહાત્મ્ય વધારવાનેા હોય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy