SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય બંધ વિષે ભગવતી શ-૧. ઉ-૮. (૧૬) આયુષ્યબંધ વિષે અન્યતીર્થિકને પ્રશ્ન શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ને અધિકાર પ્રશ્ન : હે ભગવાન્ ! અન્ય તીર્થિકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છેઃ “આ ભવનું અને પરભવનું”. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે, તે સમયે પરભવનું કરે છે, અને જે સમયે પરભવનું કરે છે, ત્યારે આ ભવનું કરે છે. વળી, આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું કરે છે, અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે ? ઉત્તર : હે ગૌતમ! તે લોકોનું કહેવું છેટું છે. હું એમ કહું છું કે, એક જીવ એક સમયે એક જ આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું. (૧૭) ગુરુ, લધુ, ગુલધુ, અગુક્લ, દ્વાર : (૧) દ્વીપ ૧ (૨) સમુદ્ર ૧ (૩) વાસાક્ષેત્ર ૧ (૪) દંડક ૨૪ (૫) અસ્તિકાય ૫, (૬) સમય ૧ (૭) કર્મ ૮ (૮) લેશ્યા ૧૨ (૯) દષ્ટિ ૩ (૧૦) દર્શન ૪ (૧૧) જ્ઞાન ૮ (પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન) (૧૨) સંજ્ઞા ૪ (૧૩) શરીર ૫ (૧૪) ગ ૩ (૧૫) ઉપગ ૨ (૧૬) દ્રવ્ય ૧ (૧૭) પ્રદેશ ૧ (૧૮) પર્યાય ૧ (૧૯) અતીતકાળ ૧ (૨૦) અનાગતકાળ ૧ (૨૧) સર્વકાળ ૧ઃ એ બધા મળી ૮૮ બોલ થયા. તેમાં ૭ નરક, ૭ ઘનેદધિ, ૭ ઘનવાય, ૭ તનુવાય અને ૭ આકાશાન્તર ૧. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય બાંધે તે આ ભવનું આયુષ્ય કહેવાય છે. મનુષ્ય અન્ય ગતિ (નારકી, તિર્યંચ ને દેવતા) નું આયુષ્ય બાંધે તે પરભવનું આયુષ્ય કહેવાય છે. અર્થાત સજાતીય આયુષ્યનો બંધ કરવો તે આ ભવનું આયુષ્ય બંધાયું તેમ કહેવાય. અને વિજાતીય ભવનું આયુષ્ય બાંધવું તે પરભવનું આયુષ્ય બંધાયું તેમ કહેવાય. અન્ય તીર્થિકોનો આ સ્થળે કહેવાનો આશય એ છે કે, મનુષ્ય જેવી રીતે આયુષ્ય કર્મ સિવાય ૭ કર્મ આ ભવનાં અને પરભવનાં બાંધી શકે છે તેવી જ રીતે આયુષ્ય કર્મ પણ આ ભવ અને પરભવ સંબંધી એક સાથે બે જન્મનું બાંધી શકે છે. તેમ, અન્ય તીથિકના કથન સામે ભગવાન કહે છે કે આયુકર્મ એક સાથે બે ભવનું બંધાતું નથી,
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy