SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ " મહાવીર : હે ગૌતમ! વીર્યવાળા પણ છે, અને વીર્ય વિનાના પણ છે. ગૌતમ : હે ભગવન ! તેનું શું કારણ? - મહાવીરઃ હે ગૌતમ! છ બે પ્રકારના છેઃ સંસારી અને મુક્ત (સિદ્ધ). - ગૌતમ: હે ભગવન! સમાન ચામડીવાળા, સરખી ઉંમરવાળા અને સરખા દ્રવ્ય અને શસ્ત્ર વગેરે ઉપકરણવાળા કઈ બે પુરુષ લડે, તેમાં એક છે અને એક હારે એ પ્રમાણે થાય? અને થાય તે તેનું શું કારણ? મહાવીર : હે ગૌતમ! જે વીર્યવાળો હોય તે જીતે અને વીર્ય વિનાને હારે, જેણે વીર્યરહિત કર્મો નથી બાંધ્યાં, અને જેમાં તે કર્મો ઉદયમાં નથી આવ્યાં તે જીતે છે, અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યાં છે અને જેમાં તે કર્મો ઉદયમાં આવ્યા છે તે પુરુષ પરાજ્ય પામે છે. અને અપચ્ચકખાણવણી કષાયના ક્ષયોપશમથી પ્રેરિત શક્તિવાળો આત્મા સર્વવિરતિ હોય છે તેથી તે પંડિતજીવ કહેવાય છે. તેમાં મુક્ત જીવો તે વિયરહિત છે. સંસારી જીવો બે પ્રકારના છે. શુકલધ્યાનથી શૈલ જેવી નિશ્ચલ (શૈલેશી) દશામાં સ્થિત થયેલા, અને તેવી દશા વિનાના. તેમાં જેઓ શેલેશી દશામાં સ્થિત છે. તેઓમાં સત્તારૂપે વીર્ય તે હોય છે, પણ ક્રિયા કરતું વીર્ય હેય પણ ખરું અને ન પણ હોય. (એટલે કે જ્યારે તેઓ ઉત્થાનાદિ ક્રિયાવાળા * હોય ત્યારે તેઓ સવીય છે; અને ઉત્થાનાદિ ક્રિયા વિનાના હોય ત્યારે અવીર્ય છે. વળી, અપર્યાપ્તાદિ પિતાની યોનિને યેગ્ય શરીર, ઈકિયાદિ પર્યાપ્તિઓ હજુ પ્રાપ્ત ન થઈ હોય તે અવસ્થા વખતે પણ તેઓ અવીર્ય જ હોય છે.) - મનુષ્યનો એક દંડક બાદ કરી શેષ ૨૩ દંડકના જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણ વીર્યની અપેક્ષાએ ઉત્થાન આદિ પાંચશક્તિવાળા તે સિવાય છે. અને શક્તિરહિત અવાય છે. મનુષ્યના એક દંડક માટે ઉપર કહ્યું તે પ્રમાણે. પરંતુ વિશેષતા એટલી કે તેમાં સિદ્ધ ભગવાનનું કથન કરવું નહિ.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy