________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
૩૦૯૬
ઉપજે છે, તે આત્માના ધર્મ છે, શરીરના નથી. તે આદર આપવાનું નેત્ર વગેરેથી માત્ર ગ્રાહ્ય થાય છે, એટલુ જ છે. તે ઉપરથી આત્મા છે ? એ વાત સિદ્ધ થાય છે.
"
'
૧૦
શરીરને આત્મા માનવાથી શા દાષ આવે છે ?
शरीरस्यैव चात्मत्वे नानुभूतस्मृतिर्भवेत् । बालत्वादिदशाभेदा तस्यैकस्यानव स्थितेः ||१८||
ભાવાથ—જો શરીરનેજ આત્મા માનીએ તે, અનુભવ કરેલ વસ્તુનુ સ્મણ્ ન થવુ જોઈએ. વળી તે એક શરીરને માન્ય વગેરે દશાના ભેદ થાય છે, અને જો ભેદ ન માનીએ તા, અનવસ્થા દ્વાષ લાગે છે. ૧૮
વિશેષા—ગ્રંથકાર, ચાર્વાક મતનું ખંડન કરતાં કહે છે કે, જો શરીરને આત્મા માનીએ તા, અનુભવ કરેલ વસ્તુનું સ્મરણુ ન થવુ" જોઇએ, કારણકે, શરીર જેવા આત્મા જડ થાય છે તેા, તેને પૂર્વના અનુભવની વાત કેમ સાંભરે? શરીરને તે અનુભૂત પ્રસ`ગનું. સ્મરણુ સંભવતું નથી, ત્યારે જે સાંભરી આવે છે, તે આત્માને લઈનેજ છે. વળી ખાલ્ય, ચૈાવન, વૃદ્ધ ઇત્યાદિ શરીરની દશાના ભે છે, પણ આત્માને તેવા ભેદ નથી. આત્માની તે એક જ દશા છે, અને શરીરની દશા-અવસ્થા એક નથી. કારણકે, તેમાં અનવસ્થિત દાયના પ્રસ’ગ છે. ૧૮