SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આધાકર્મ દોષ ૩૧ પરંતુ પ્રવૃત્તિદોષ થવાનો સંભવ હોવાથી આચાર્ય ભગવંતોએ આવો આહાર લેવાનો નિષેધ કર્યો છે. ૩ દ્રવ્ય સાધર્મિક-સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાનો સંકલ્પ કર્યો હોય તો સાધુને તે આહાર લેવો કલ્પ નહિ. વળી સંકલ્પ ન પણ કર્યો હોય તો પણ એવો આહાર ન કલ્પે. કેમકે જો તેવો આહાર સાધુ ગ્રહણ કરે તો લોકમાં નિંદા થાય કે “આ સાધુઓ કેવા છે કે મરેલાનું ભોજન પણ છોડતા નથી.” ૪. ક્ષેત્ર સાધર્મિક-સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પોળ, મહોલ્લો આદિ પણ ક્ષેત્ર કહેવાય. સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપવો.” આવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કલ્પ, બીજા સાધુઓને કહ્યું. ૫. કાલ સાધર્મિક-મહિનો, દિવસ, પ્રહર આદિ કાલ કહેવાય. અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભોજન આપવું.” આવો સંકલ્પ કર્યો હોય તો, તે મહિનો, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કહ્યું નહિ. તે સિવાયના સાધુને કહ્યું. ક્ષેત્ર અને કાલમાં “જૈન સાધુ સિવાયને મારે આપવું.” એવો સંકલ્પ હોય તો સાધુને કલ્પી શકે. ૬. થી ૨ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધર્મિકમાં દ્વિસંયોગી ૨૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે 2. પ્રવચન અને લિંગ. ૨. દર્શન અને જ્ઞાન. ૨. પ્રવચન અને દર્શન. ૩. દર્શન અને ચારિત્ર. ૩. પ્રવચન અને જ્ઞાન. ૨૪. દર્શન અને અભિગ્રહ. ૪. પ્રવચન અને ચારિત્ર. ૫. દર્શન અને ભાવના. ૫. પ્રવચન અને અભિગ્રહ ૨૬. જ્ઞાન અને ચારિત્ર. ૬. પ્રવચન અને ભાવના. ૭. જ્ઞાન અને અભિગ્રહ ૭. લિંગ અને દર્શન. ૨૮. જ્ઞાન અને ભાવના. ૮. લિંગ અને જ્ઞાન. ૨૯. ચારિત્ર અને અભિગ્રહ. ૯. લિંગ અને ચારિત્ર. ૨૦. ચારિત્ર અને ભાવના. ૨૦. લિંગ અને અભિગ્રહ ૨૨. અભિગ્રહ અને ભાવના.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy