SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ ૨. લિંગ અને ભાવના. ઉપર મુજબના એકવીસે ભેદોમાં ચાર ચાર ભાંગા નીચે મુજબ થાય. ? પ્રવચનથી સાધર્મિક, લિંગ (વેષ)થી નહિ. ૨ લિંગથી સાધર્મિક પ્રવચનથી નહિ. ૩ પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક. ૪ પ્રવચનથી નહિ અને લિંગથી નહિ. આ પ્રમાણે બાકીના વીસ-ભેદોમાં ૪-૪ ભાંગા સમજી લેવાં. o પ્રવચનથી સાધર્મિક પણ લિંગથી સાધર્મિક નહિ-અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડીને શ્રાવકની દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધર્મિક નથી. ૨ લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી સાધર્મિક નહિ-શ્રાવકની અગિયારમી પ્રતિમા વહન કરનાર (મુંડન કરાવેલું હોય છે) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે. નિષ્નવો સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી રજોહરણ વગેરે હોવાથી સાધર્મિક કહેવાય છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી શકે. પરંતુ જો તેને નિહ્નવ તરીકે લોકો જાણતાં ન હોય તો તેવા નિહ્નવ માટે કરેલું પણ સાધુને કલ્પે નહિ. ૩ પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધર્મિક-સાધુ અથવા અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કલ્પ, શ્રાવક માટે કરેલું કલ્પે. ૪ પ્રવચનથી સાધર્મિક નહિ અને લિંગથી પણ સાધર્મિક નહિ-ગૃહસ્થ, પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર. તેમના માટે કરેલું સાધુને કલ્પે. કેમકે પ્રત્યેકબુદ્ધો અને શ્રીતીર્થંકર લિંગ અને પ્રવચનથી અતીત છે. ર પ્રવચન અને દર્શનની ચતુર્થંગી ૧ પ્રવચન સાધ૦ દર્શન સાધ૰ નહિ પ્ર૦ સા૦ સાધુ-શ્રાવક. ૨ દર્શન સાધ૦ પ્રવચન સાધ૰ નહિ ૬૦ સા૰ તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ, ક્ષાયિકાદિ દર્શનવાળા. ૩ પ્રવચન સાધ૦ દર્શન સાધ૦ પ્ર૦ સા૦ અને ૬૦ સા૦ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સરખા દર્શનવાળા.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy