________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
સાધર્મિકનું વિસ્તારથી સ્વરૂપ અને
તેમાં કલધ્ય અકથ્યપણું 2. નામ સાધર્મિક-કોઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઇચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કોઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભોજન તૈયાર કરીને આપવું.”
જ્યાં આવો સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને તે ભોજન કલ્પે નહિ, પરંતુ તે નામ સિવાયના બીજા નામવાળા સાધુઓને કહ્યું.
જો તે ગૃહસ્થ એવો સંકલ્પ કર્યો હોય કે “મારે દેવદત્ત નામના ગૃહસ્થોને ભોજન આપવું.' તો દેવદત્ત નામના સાધુઓને પણ તે ભોજન કલ્પી શકે.
આ પ્રમાણે “દેવદત્ત નામના શ્રમણ, પાખંડી, સૌગતા, સરજસ્કોને ભોજન આપવું.” એવો સંકલ્પ હોય તો, આમાં સાધુનું પણ ભેગું આવી જતું હોવાથી દેવદત્ત નામના સાધુઓને ન કહ્યું. પરંતુ “શ્રમણ-જૈન સાધુ સિવાયનાં દેવદત્તા નામના પાખંડી, સરજસ્ક, સૌગતોને આપવું.” એવો સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને કલ્પી શકે. સાધુનો જુદો કે મિશ્રમાં ઉદ્દેશ આવી જતો હોય તો ન કહ્યું. તે સિવાય કલ્પ.
જો તેણે એવો સંકલ્પ કર્યો હોય કે “દેવદત્ત નામના જૈન સાધુને મારે આહાર આપવો.” તો દેવદત્ત નામના સાધુને તો ન કલ્પે ઉપરાંત બીજા નામવાળા કોઈ પણ સાધુઓને પણ ન કલ્પે. કેમકે પહેલા અને છેલ્લા શ્રી તીર્થકર ભગવંતના સાધુઓ માટે તો, “એક સાધુને ઉદ્દેશીને કરેલો આહાર બીજા સાધુને પણ કહ્યું નહિ.” આવી શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા છે.
જો તીર્થકર, પ્રત્યેક બુદ્ધનો સંકલ્પ કર્યો હોય તો સાધુને કલ્પી શકે. કેમકે તીર્થકર, પ્રત્યે બુદ્ધ એ સાધુના સાધર્મિક નથી.
૨. સ્થાપના સાધર્મિક-કોઈના સંબંધીએ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે “આવા વેષવાળાને મારે આ ભોજન આપવું.” તો સાધુને કલ્પ નહિ. પરંતુ મૂર્તિ કે ચિત્ર આગળ મૂકવા માટે ભોજન બનાવ્યું હોય, પણ સાધુને આપવા માટેનો સંકલ્પ કર્યો ન હોય તો, તે આહાર સાધુને કલ્પી તો શકે.