________________
આધાકર્મ દોષ
૨૯
૬. પ્રવચનસાધર્મિક-સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા. એટલે સાધુ સાધુના સાધર્મિક, સાધ્વી સાધ્વીને સાધર્મિક, શ્રાવક શ્રાવકને સાધર્મિક, શ્રાવિકા શ્રાવિકાને સાધર્મિક અથવા સાધુને સાધુ અને સાધ્વી સાધર્મિક, સાધ્વીને સાધ્વી અને સાધુ સાધર્મિક, શ્રાવકને શ્રાવક અને શ્રાવિકા સાધર્મિક, શ્રાવિકાને શ્રાવિકા અને શ્રાવક સાધર્મિક કહેવાય તે પ્રવચનસાધર્મિક.
૭. લિંગસાધર્મિક-રજોહરણ-ઓઘો, મુહપત્તિ વગેરે સરખા વેષવાળા લિંગ સાધર્મિક.
૮. દર્શનસાધર્મિક-સમાન દર્શનવાળા, એટલે ક્ષાયિક સમ્યગદર્શનવાળા (ક્ષાયિક સમકિતી)ના ક્ષાયિક સમ્યગદર્શનવાળાના સાધર્મિક, ક્ષયોપથમિક સમ્યગદર્શનવાળા (ક્ષયોપથમિક સમકિતી)ના ક્ષયોપથમિક સમ્યકત્વવાળા સાધર્મિક, ઔપથમિક સમ્યકત્વવાળાના ઔપશમિક સમ્યકત્વવાળા સાધર્મિક કહેવાય તે દર્શન સાધર્મિક.
૯. જ્ઞાનસાધર્મિક-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. સરખા જ્ઞાનવાળાના સરખા જ્ઞાનવાળા સાધર્મિક કહેવાય તે જ્ઞાનસાધમિક.
૨૦. ચારિત્રસાધર્મિક-સામાયિક, છેદોપસ્થાપનિય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્રવાળા,પરસ્પરના સાધર્મિક અથવા ક્ષાયિક ચારિત્રી, ક્ષયોપથમિક ચારિત્રી, ઔપથમિક ચારિત્રી પરસ્પરના સાધર્મિક કહેવાય તે ચારિત્રસાધર્મિક.
22. અભિગ્રહ સાધર્મિક-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અભિગ્રહવાળા પરસ્પર સાધર્મિક, એટલે જે દ્રવ્ય વિષયક અભિગ્રહ રાખ્યો હોય તે સાધુને તે જ દ્રવ્યવિષયક અભિગ્રહવાળા સાધુ સાધર્મિક કહેવાય. એ જ પ્રમાણે ક્ષેત્ર અભિગ્રહવાળા ક્ષેત્ર અભિગ્રહવાળાના સાધર્મિક, કાલ અભિગ્રહવાળા કાલ અભિગ્રહવાળાના સાધર્મિક, ભાવ અભિગ્રહવાળા ભાવ અભિગ્રહવાળાના સાધર્મિક કહેવાય, તે અભિગ્રહ સાધર્મિક.
૨૨. ભાવના સાધર્મિક - અનિત્યાદિ બાર ભાવના. સરખી ભાવનાવાળા પરસ્પરના સાધર્મિક તે ભાવના સાધર્મિક.