SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી પિડનિર્યુક્તિ-પરાગ છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતો નથી. આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરતા નથી, તેમના પરિણામ અશુભ થતા નથી, એટલે તેઓને અશુભ કર્મબંધ થતો નથી. માટે આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ. બીજાએ કરેલું કર્મ પોતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકર્મી આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલો તે આહાર વાપરે. ઉપચારથી અહીં આધાકર્મને આત્મકર્મ કહેવામાં આવ્યું છે. આધાકર્મ દોષનું સ્વરૂપ જણાવ્યું. હવે તેનું વિસ્તારપૂર્વક સ્વરૂપ જણાવેલ છે. तं पुण जं जस्स जहा जारिसमसणे य तस्स जे दोसा । રા ય ન પુછી છUT સુદ્ધી યાદ વોરું પારણા (પિ.વિ.૮) આધાકર્મનું સ્વરૂપ વિસ્તારથી જાણવા માટે દશ દ્વારો છે. ૧. કઈ વસ્તુ આધાકર્મી બને ? ૨. કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય ? ૩. કયા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ કર્મ બંધાય ? ૪. આધાકર્મ કોના જેવું છે ? ૫. આધાકર્મ વાપરવામાં કયા કયા દોષો છે ? ૯. આધાકર્મ આપવામાં કયા કયા દોષો છે ? ૭. આધાકર્મ જાણવા માટે કેવી રીતે પૂછવું ? ૮. ઉપયોગ રાખવા છતાં સાધુને કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય ? ૯. ગૃહસ્થના છળથી આધાકર્મ ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ? ૧૦. આધાકર્મના ગ્રહણમાં નિર્દોષતા તથા દોષના સ્વરૂપ અંગે શંકા સમાધાન. દ્વાર પહેલું કઈ વસ્તુ આધાકર્મી બને ? असणाइ चउब्भेयं आहाकम्ममिह बिन्ति आहारं । પઢમં વિર નરૂનો જીવંત નિષેિ ર દિં ા૨૪ા (પિ. વિ. ૯) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારનો આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કેવા પ્રકારનું આધાકર્મી બને છે ? તો ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચારે પ્રકારનો આહાર અચિત્તપ્રાસુક
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy